મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 59 હજાર લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. દરમિયાન, રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો 15 દિવસ માટે આજથી લાગુ કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસનું હોટસ્પોટ બની ચૂક્યું છે મહારાષ્ટ્ર
15 દિવસ સુધી લોકડાઉન જેવા પ્રતિબંધો લદાયા
સીએમ ઠાકરેએ પીએમ મોદીને મદદ માટે વિનંતી કરી
કોરોનાના લીધે આજે પણ મહારાષ્ટ્રમાં કેસોનો રાફડો ફાટ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે 8.30 વાગ્યે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 58,952 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે અને 278 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અગાઉ, મંગળવારે 60,212 લોકો, સોમવારે 51,751 અને રવિવારે 63,294 જેટલા દર્દીઓને કોરોના સંક્રમણ થયું હતું, રાજ્યમાં અત્યાર સુધીમાં 35,78,160 લોકોને કોરોના સંક્રમણ થયું છે.
15 દિવસ માટે મહારાષ્ટ્રમાં કર્ફ્યૂ
કોરોના વધતા જતા કેસો વચ્ચે આજે રાતના 15 વાગ્યાથી આઠ દિવસ માટે મહારાષ્ટ્રમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. લોકડાઉન જેવા આ નિયંત્રણો 1 મેના રોજ સવારે સાત વાગ્યા સુધી ચાલુ રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કર્ફ્યુ લાદવાની ઘોષણા કરી હતી.
તેમણે કહ્યું હતું કે હોસ્પિટલોમાં ભીડ વધી ગઈ છે. આવી સ્થિતિમાં કર્ફ્યુ લાદવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રમાં ઓક્સિજનની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ બંગાળથી અથવા પૂર્વોત્તર રાજ્યોમાંથી ઓક્સિજન સપ્લાય કરવા લશ્કરી વિમાન મોકલવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે.
રેમિડેસીવીરની માંગ વધી રહી છે
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ઓક્સિજન સપ્લાય અને બેડની અછત છે અને રેમેડિસિવર ઇન્જેક્શનની માંગ વધી છે. ઠાકરેએ કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર તેની પિક પર છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.