મહારાષ્ટ્રમાં રાજકીય સંકટની વચ્ચે ઉદ્ધવ ઠાકરે માટે એક પછી એક માઠા સમાચાર આવતા જાય છે, હવે નવી અપડેટ આવી છે, જે બાદ એવો ક્યાસ લગાવામાં આવી રહ્યો છે કે, ઉદ્ધવની શિવસેના ખાલી થઈ જશે.
મહારાષ્ટ્રમાં ચાલી રહ્યું છે રાજકીય દંગલ
એકનાથ શિંદે જૂથ વધારે મજબૂત થતું જાય છે
શિવસેના ખાલી થવાને આરે આવીને ઊભી
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય દંગલનો નિવેડો હાલમાં તો ક્યાંય દેખાતો નથી. મહા વિકાસ અઘાડી સાથે નાતા તોડવાની માગને લઈને ધારાસભ્યોના બળવાથી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકાર પહેલાથી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. હવે શિવસેના પર ઉદ્ધવ કંટ્રોલ પણ હાથમાં નિકળતું દેખાઈ રહ્યું છે.
શિવસેનાના સાંસદો પણ એકનાથ શિંદેના સંપર્કમાં હોવાનો દાવો
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેની નજર હવે સત્તાની ખુરશી તરફ જઈ રહી છે. સત્તાને લઈને શરૂ થયેલા સંઘર્ષમાં હવે પાર્ટી પર કંટ્રોલ પણ આવતો દેખાઈ રહ્યો છે. સમાચાર એવા આવી રહ્યા છે કે, કુલ 18માંથી 14 સાંસદો બળવાખોર જૂથના સંપર્કમાં છે.
ઉદ્ધવની સેના ખાલી થઈ જશે
પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો શિવસેનાના 18માંથી 14 સાંસદો બળવાખોર નેતા એકનાથ શિંદેના સંપર્કમાં છે. એકનાથ શિંદેના નેતૃત્વવાળુ જૂથ પહેલાથી જ 40 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી ચુક્યા છે. અને હવે જો પાર્ટીના 18માંથી 14 સાંસદો પણ શિંદે જૂથનો સાથ આપે તો, ઉદ્ધવ ઠાકરે માટે શિવસેના પર કંટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ સાબિત થશે.
શિવસેનાનો ઝંડો અને ચિન્હ પર દાવો મજબૂત થશે
અને જો આવું થયું તો, એકનાથ શિંદેના નેતૃત્વવાળુ જૂથ શિવસેનાના ઝંડો અને ચૂંટણી ચિન્હ પર દાવો વધારે મજબૂત થઈ જશે. બદલાતી સ્થિતિમા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બપોરે 2.30 કલાકે કેબિનેટની બેઠક બોલાવી છે. કહેવાય છે કે, રાજ્યપાલ, ઉદ્ધવ ઠાકરેને વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે કહી શકે છે. ઉદ્ધવ ઠાકરેની મુખ્યમંત્રીની ખુરશી તો સંકટમાં છે, જ પણ હવે તો બાલાસાહેબે બનાવેલી શિવસેના પર તેમનો કંટ્રોલ પણ ખોઈ રહ્યા છે.