નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી ( NCP )ના નેતા અને મહારાષ્ટ્રના નવા ઉપ મુખ્યમંત્રી અજિત પવારને મનાવવાના પ્રયાસ નિષ્ફળ દેખાઇ રહ્યા છે. એનસીપી ( NCP ) ના લાખ મનાવવા છતા અજિત પવાર વાપસી કરવા તૈયાર નથી.
મહારાષ્ટ્રના નવા ઉપ મુખ્યમંત્રી અજિત પવારને મનાવવાના પ્રયાસ નિષ્ફળ દેખાઇ રહ્યા છે
સૂત્રોનું કહેવું છે કે અજિત પવાર પોતાના નિર્ણય પર અડગ છે. તેને લઇને NCPના ધારાસભ્ય દળના નેતા જયંત પાટિલે અજિત પવાર સાથે મુલાકાત કરી અને અજિત પવારને મનાવવાના પ્રયાસ કર્યા. પરંતુ તેમા કોઇ સફળતા ન મળી. અજિત પવારનું કહેવું છે કે એનસીપીનું હિત ભાજપની સાથે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ રહેવામાં જ છે.
Deputy Chief Minister of Maharashtra, Ajit Pawar: Thank you Hon. Prime Minister Narendra Modi ji. We will ensure a stable Government that will work hard for the welfare of the people of Maharashtra. pic.twitter.com/Y8uQKKIuGF
આટલું જ નહીં, અજિત પવારે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી બનાવવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન મોદીએ ડેપ્યૂટી મુખ્યમંત્રી પદની શપથ લેવા પર અજિત પવારને શુભેચ્છા પાઠવી, તો અજિત પવારે પણ રિટ્વિટ કરી જવાબ આપ્યો.
PM નરેન્દ્ર મોદીના શુભેચ્છા ટ્વિટને રિટ્વિટ કરતા અજિત પવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપનો આભાર. અમે મહારાષ્ટ્રમાં સ્થાયિ સરકાર સુનિશ્ચિત કરીશું, જે મહારાષ્ટ્રની જનતાના કલ્યાણ માટે કઠિન પરિશ્રમ કરશે. આ સાથે જ અજિત પવારે કહ્યું કે, તેઓ હજુ એનસીપીમાં જ છે, અને શરદ પવાર તેમના નેતા છે.
અજિત પવારે પોતાના ટ્વિટર પ્રોફાઇલમાં પણ મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી હોવાનો ઉલ્લેખ કરી દીધો છે. વડાપ્રધાન મોદી ઉપરાંત તેઓએ 21 નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે. આ નેતાઓમાં અમિત શાહ, નિતિન ગડકરી, ડૉ. હર્ષવર્ધન, અમૃતા ફડણવીસ, રવિ કિશન, બીએલ સંતોષ, ધર્મેન્દ્ર પ્રધાન, અનુરાગ ઠાકુર, રામદાસ આઠવલે, મનસુખ માંડવિયા, વિજય રુપાણી, ગિરીશ બાપત, સુરેશ પ્રભુ, ગજેન્દ્ર સિંહ શેખાવત, મુખ્તાર અબ્બાસ નકવી, સદાનંદ ગૌડા, જગત પ્રકાશ નડ્ડા, પીયૂષ ગોયલ, રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાની અને નિર્મલા સીતારમણ સામેલ છે.