મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય સચિવે કોરોનાના ત્રીજા વેવને લઈને કેટલીક ગંભીરશક્યતાઓ જણાવી હતી જે ખરેખર ચિંતાજનક છે. તેમણે ત્રીજી લહેરને હળવાશથી ન લેવા માટે ચેતવણી આપી હતી.
મહારાષ્ટ્રમાં સ્વાસ્થ્ય મંત્રીની ચેતવણી
તમામ ક્લેક્ટરોને પત્ર લખવામાં આવ્યા
70 ટકા લોકોમાં ડેલ્ટા વેરિઅન્ટ હાજર
મહારાષ્ટ્રમાં દરરોજ વધી રહેલા કોરોના કેસનો આંકડો ત્રીજી લહેરના આગમનની સાબિતી આપે છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના સંબંધિત ચેતવણી આપવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રીની ચેતવણી
મહારાષ્ટ્ર રાજ્યના સ્વાસ્થ્ય સચિવ પ્રદીપ વ્યાસ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે જો આ જ પ્રકારે કોરોના કેસ વધતાં રહેશે તો જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયા સુધીમાં મહારાષ્ટ્રમાં સક્રીય કેસની સંખ્યા વધીને 2 લાખ સુધી પહોંચી શકે છે. તેઓનું કહેવું છે કે ત્રીજી લહેરમાં જો રાજ્યમાં 80 લાખ કોરોના કેસ થાય અને એમાંથી જો 1 ટકા પણ મૃત્યુ નોંધાય તો પણ 80 હજાર લોકોના મોત નોંધાય તેવી શક્યતા છે.
મહારાષ્ટ્રના તમામ ક્લેક્ટરોને પત્ર
મહારાષ્ટ્રના તમામ કલેક્ટરને લખેલા પત્રમાં વ્યાસે ચેતવણી આપી છે કે કોરોનાની ત્રીજી લહેર હળવી હશે, પણ તેના કારણે ભ્રમમાં ન રહો અને વેકસીનેશન અને અન્ય સાવચેતીના પગલાંનું પાલન થાય તેની ખાતરી કરો.
અત્યારે કશું કહી શકાય નહીં
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય સચિવે પત્રમાં કહ્યું છે કે કોરોનાના ત્રીજા વેવને લઈને સોશિયલ મીડિયામાં આપવામાં આવી રહેલી ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરો. કોરોનાની ત્રીજી લહેર હળવી હશે કે તેના ગંભીર પરિણામો આવશે તે અત્યારે કહી શકાય તેમ નથી. સોશિયલ મીડિયામાં આવતી માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સલામતી, તકેદારી અને રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
70 ટકા લોકોમાં ડેલ્ટા વેરિઅન્ટ હાજર
તેમણે કહ્યું કે જીનોમ સિક્વન્સિંગના ડેટા પર નજર કરીએ તો જાણવા મળે છે કે હાલમાં 70 ટકા કોરોના સંક્રમિતોના શરીરમાં કોરોનાનું ડેલ્ટા વેરિઅન્ટ હાજર છે. તેમની સંખ્યા અલગ-અલગ જિલ્લાઓમાં વધુ ઓછી હોઈ શકે છે.
મુંબઈમાં ફરી સંક્રમણનો ભય
બીજી તરફ, મુંબઈમાં કોરોના સંક્રમણના આંકડા ફરી ડરવવા લાગ્યા છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,631 નવા કેસ સામે આવ્યા છે. માત્ર એક જ દિવસમાં 35 ટકાનો વધારો થયો છે.
મુંબઈમાં પોઝિટીવીટી રેટ 11.86 ટકા
શુક્રવારે મુંબઈમાં પોઝિટીવીટી રેટ 11.86 ટકા પર પહોંચી ગયો હતો. જ્યારે બુધવારે તે 4.84 ટકા અને ગુરુવારે 7.91 ટકા હતો. સદનસીબે, આમાંથી 75 ટકા દર્દીઓમાં કોરોનાનું એક પણ લક્ષણ નથી અને માત્ર 9 ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.
શુક્રવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના ચાર દર્દીઓ મળી આવ્યા હતા, જોકે સદનસીબે મુંબઈમાં એક પણ દર્દી મળ્યો નહોતો