દેશમાં કોરોના વાયરસનો કહેર વધતો જઇ રહ્યો છે. દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 2487 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 89 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 67,655 પર પહોંચી ગઇ છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 2286 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 2487 નવા કેસ સામે આવ્યા
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 67,655 પર પહોંચી ગઇ છે
રાજ્યમાં સ્વાસ્થ્ય વિભાગ તરફથી આમ જાણકારી અપાઇ છે. બીજી તરફ મુંબઇમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 1244 નવા કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં 30 જૂન સુધી આગળ વધારવામાં આવ્યું લૉકડાઉન
મહારાષ્ટ્ર સરકારે કોરોનાના સંક્રમણને ફેલાતુ રોકવા માટે લાગૂ લૉકડાઉનને આખા રાજ્યમાં 30 જૂન સુધી વધારવા, પ્રતિબંધોમાં કેટલીક છૂટ આપવા અને 'મિશન બિગિન અગેન' હેઠળ ગતિવિધિઓ ક્રમબદ્ધ રીતે શરૂ કરવાની રવિવારે જાહેરાત કરી. રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર મૉલને છોડીને તમામ બજાર, બજારના ક્ષેત્રો અને દુકાનોને પાંચ જૂનથી ઓડ-ઇવન આધારે ખોલવાની મંજૂરી અપાશે. તમામ ખાનગી ઓફિસ 8 જૂનથી પોતાની જરૂરિયાતના હિસાબે 10 ટકા કર્મચારીઓની સાથે કામ શરૂ કરી શકે છે, બાકી કર્મચારીઓ ઘરેથી કામ કરશે. દિશા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે આ છૂટ કન્ટેનમેન્ટ ઝોનમાં લાગૂ નથી થાય.
'મિશન બિગિન અગેન' હેઠળ સવારે બહાર ફરવુ, સાઇકલ ચલાવવી જેવી ગતિવિધિઓની મંજૂરી હશે. નળ ઠીક કરવા, વીજળી અને કીટ નિયંત્રણ જેવા કામ કરતા લોકોને કામ કરવાની મંજૂરી અપાશે. જોકે લોકોએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે.