આંધ્રપ્રદેશના CM ચંદ્રાબાબુ નાયડુ વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની સ્થાનિક કોર્ટે તેમની વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યો છે. કોર્ટે વર્ષ 2010માં મહારાષ્ટ્ર સરકાર સામે બાભલી પરિયોજનાના નિર્માણ સામે એક આંદોલન છેડ્યુ હતું જને લઈને કોર્ટે વોરંટ જાહેર કર્યો છે.
તેમની સાથો સાથ આંધ્રપ્રદેશના સિંચાઈ મંત્રી સહિત અન્ય 14 લોકો સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે TDPએ શંકા વ્યત કરતા અમિત શાહ અને પીએમ મોદીનું ષડયંત્ર ગણાવ્યું છે. તો કોર્ટ દ્વારા વોરંટ જાહેર કરતા TDPના પ્રવતા લંકા દિનકરે કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે સીએમ ચંદ્રબાબુ નાયડુ વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યો.
આ સાથે તેમણે વધુમાં જણાવેલ કે એવું લાગે છે કે આમાં PM મોદી અને અમિત શાહનું ષડયંત્ર હોઈ શકે. 2010માં જ્યારે TDPએ આંદોલન કર્યું હતું ત્યારે મહારાષ્ટ્ર પોલીસે નાદેડ જિલ્લામાં પ્રતિબંધના ઉલ્લંઘના આરોપમાં ધરપકડ કરી હતી. ત્યારે નાયડુ સાથે TDPના પાંચ સાંસદ અને સાત ધારાસભ્યની પણ ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે અવિભાજીત આંધ્ર પ્રદેશમાં ત્યારે વિપક્ષમાં રહેલા નાયડૂ અને અન્યોની મહારાષ્ટ્રમાં બાબલી પરિયોજના પાસે વિરોધ કરતા ધરપકડ કરવામાં આવી હતી. જો કે તે સમયે ધરપકડ કરવામાં આવેલ તમામને પુણે જેલમાં પુરવામાં આવ્યા હતા. જો કે આ ઘટના બાદ તેમની છોડી મુકવામાં આવ્યા હતા પરંતુ તેમણે જામીન માગ્યા નહોંતા.