મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર થમવાનું નામ નથી લઇ રહ્યો. મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાયરસના 2608 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે જ પ્રદેશમાં સંક્રમણના કેસની સંખ્યા વધીને કુલ 47,190 થઇ ગઇ છે. જેમાંથી 1,577 લોકોના મોત થયા છે. માત્ર મુંબઇની વાત કરવામાં આવે તો અહીં કોરોનાના કેસની સંખ્યા વધીને 29,000 નજીક પહોંચી ચૂકી છે.
મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાયરસના 2608 નવા કેસ સામે આવ્યા
મહારાષ્ટ્રમાં સંક્રમણના કેસની સંખ્યા વધીને કુલ 47,190 થઇ ગઇ છે
છેલ્લા 24 કલાકમાં મુંબઇમાં 1566 નવા કેસ સામે આવ્યા છે અને અહીં સંક્રમણના કુલ કેસની સંખ્યા 28,817 થઇ ગઇ છે. ગત 24 કલાકમાં મુંબઇમાં 40 લોકોના મોત થયા છે. મુંબઇમાં અત્યાર સુધીમાં કુલ 949 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 13404 દર્દીઓ કોરોના વાયરસને હરાવવામાં સફળ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 821 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ભારતમાં કોરોના કેસની સંખ્યા વધીને 1,25,101 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 6654 કેસ સામે આવ્યા છે. જ્યારે 137 લોકોના મોત થયા છે.
દેશમાં પહેલીવાર 24 કલાકમાં આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3720 લોકોના મોત થઇ ચૂક્યા છે. જોકે 51,784 દર્દીઓ આ બીમારીને હરાવવામાં સફળ રહ્યા છે. રિકવરી રેટમાં સતત સુધારો થઇ રહ્યો છે, તે 41.39 ટકા થયો છે.