મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં કોરોનાની સ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા પ્રજાજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે જનતાને કોરોના સામે ધૈર્ય સાથે લડવાની વાત કરી હતી.
કોરોનાથી મહારાષ્ટ્રના હાલ બેહાલ
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કર્યું પ્રજાજોગ સંબોધન
કહ્યું- 15 દિવસ સુધી આવી જ સ્થિતિ રહી તો ડોકટરો અને નર્સો ક્યાંથી લાવીશું
આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં હાલ લોકડાઉન લગાવવાનું કોઇ જ આયોજન નથી, કારણ કે આર્થિક સ્થિતિ વણસે છે. પરંતુ જેટલુ ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે તેના પરથી જોઇએ તો 15 દિવસમાં સંશાધનનો ખૂટી પડશે.
In a couple of days, strict restrictions will be issued to curb COVID19. If the number of cases keeps increasing, there could be a shortage of healthcare infrastructure in the next 15-20 days: Maharashtra CM Uddhav Thackeray
જો આ 15 દિવસ સુધી આવી સ્થિતિ રહેશે, તો નર્સો અને ડોકટરો ક્યાંથી લાવીશું
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો પરિસ્થિતિ યથાવત રહેશે તો લોકડાઉન નકારી શકાય નહીં. તેમણે કહ્યું કે રાજ્યની પરિસ્થિતિ ડરામણી છે, પરંતુ આપણે સત્ય છુપાવી શકતા નથી. અમારી પાસે 2,20,000 આઇસોલેશન બેડ છે અને તેમાંથી 62% ભરેલા છે. આઇસોલેશન બેડ 20,000 છે, જેમાંથી 48 ટકા ભરાઈ ચૂક્યા છે. આ ઉપરાંત વેન્ટિલેટર પણ 30 ટકા ભરેલા છે. જો સ્થિતિ સમાન રહેશે, તો પછી આવતા 15 દિવસમાં અમારું માળખાકીય સુવિધા નબળી સાબિત થશે. જો આપણે પથારી વધારીએ, તો પણ ડોકટરો અને નર્સો ક્યાંથી લાવીશું.
વેક્સીન બાદ માસ્ક લગાવવાનું બંધ કરે છે લોકો
તેમણે વધુમાં કહ્યું કે, અમે 65 લાખ કોવિડ રસીની વ્યવસ્થા કરી છે. રસીકરણ બાદ કેટલાક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. કારણ કે, તેઓ માસ્ક પહેરવાનું બંધ કરે છે. આ સાથે જ ઠાકરેએ જણાવ્યું કે, હું અહીં કોઇને ડરાવવા માટે નહીં પરંતુ ઉપાય અંગે ચર્ચા કરવા માટે આવ્યો છું.