હોળીના દિવસે મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંકટ ઘટ્યું
24 કલાક દરમિયાન 31,643 દર્દીઓ કેસ નોંધાયા
અત્યાર સુધી 57,62,601 લોકોને રસી અપાઇ
ઉલ્લેખનીય છે કે, જો કે, વિવિધ પ્રતિબંધો લાગુ કરનાર મહારાષ્ટ્રમાં સોમવારે 31 હજારથી વધુ કેસ નોંધાયા હતા, જો કે, એક દિવસ અગાઉ 40 હજારથી વધુ નવા કેસ મળી આવ્યા હતા. મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં લોકડાઉનની પણ જાહેરાત કરાઇ છે.
મહારાષ્ટ્રમાં આજે 31,643 દર્દીઓ કેસ
રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ, મહારાષ્ટ્રમાં આજે 31,643 દર્દીઓ મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાને કારણે 102 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ, 20,854 લોકો સાજા થયા. રાજ્યમાં કુલ કેસ વધીને 27,45,518 પર પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં 23,53,307 લોકો સાજા સ્વસ્થ થયાછે, જ્યારે 3,36,584 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હાલમાં 3,36,584 સક્રિય કેસ છે.
અત્યાર સુધી 57,62,601 લોકોને રસી અપાઇ
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 57,62,601 લોકોને એન્ટી કોવિડ -19 રસી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે રાજ્યભરમાં 2,31,277 લોકોને રસી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 9,78,391 આરોગ્ય કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે અન્ય 4,69,354 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.