મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે મરનારની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને કારણે 105 લોકોના મોત થયાં છે. આ દરમિયાન કોરોનાના 2190 નવા કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં કોરોના બન્યો બેકાબૂ
છેલ્લા 24 કલાકમાં 105 લોકોના મોત
મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1897 લોકોના મોત થઇ ચૂક્યા છે. તો રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 56,998 થઇ ચૂકી છે. જેમાં 37,125 એક્ટિવ કેસ છે. 17 હજાર 918 દર્દીઓ સાજા થતાં તેમન ઘરે જવા દેવામાં આવ્યા છે.
મુંબઇમાં કોરોના વાયરસ બન્યો બેકાબૂ
આર્થિક રાજધાની મુંબઇની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1044 કેસ નોંધાયા છે અને 32 લોકોના મોત થયાં છે. મુંબઇમાં કોરોનાના કુલ 34 હજાર 018 કેસ થઇ ગયા છે અને 1097 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 8408 લોકો ઇલાજ બાદ સાજા થઇ ચૂક્યા છે, મુંબઇમાં કોરોનાના 24,507 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો રિકવરી રેટ 31.5 ટકા છે. આ સાથે જ 5 લાખથી વધુ લોકો હોમ ક્વોરન્ટાઇન છે.
મંગળવારે મહારાષ્ટ્રમાં 2091 કેસ નોંધાયા હતા
આ પહેલા મંગળવારે મહારાષ્ટ્રમાં 2091 કોરોના વાયરસના નવા કેસ નોંધાયા હતા અને 97 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જે હજી એક દિવસમાં સૌથી વધુ છે. મુંબઈમાં 1002 નવા કેસ નોંધાયા છે અને 39 લોકોનાં મોત નીપજ્યાં છે.
દેશમાં પણ ઝડપથી વધી રહ્યા કોરોના વાયરસના કેસ
દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. દર્દીઓની સંખ્યા 1.51 લાખ પાર કરી ચુક્યા છે. અત્યાર સુધીમાં 4,337 લોકોના મોત થઇ ચુક્યા છે. જ્યારે સાજા થનાર વ્યક્તિઓની સંખ્યા 64 હજારથી વધુ થઇ છે અને હાલ દેશમાં 83 હજાર એક્ટિવ કેસ છે.