મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અંદાજે 95 હજાર દર્દીઓની સંખ્યા થઇ ગઇ છે, જ્યારે 3500 લોકોના અંદાજે કોરોનાને કારણે મૃત્યું થયાં છે. છેલ્લા 24 કલાકમાં 3254 નવા કેસ સામે આવ્યાં છે અને 149 લોકોના મૃત્યું થયા છે. રાજ્યમાં વધતા કેસ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરીથી લોકડાઉન લાગુ કરવાની વાત કરી છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો લોકો પ્રતબિંધોનું સન્માન કરવામાં નિષ્ફળ રહ્યાં તો રાજ્યમાં એકવાર ફરી લોકડાઉન લાગુ કરવું પડશે. ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું કે લોકલ ટ્રેન શરૂ કરવાને લઇને કેન્દ્ર સરકાર પાસે માંગણી કરવામાં આવી છે. શટડાઉનના કારણે કેટલાંક લોકો ફરી પોતાની નોકરી શરૂ કરી શકતા નથી.
મહારાષ્ટ્રમાં 95 હજારની નજીક દર્દી
મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 94,041 થઇ ગઇ છે. જ્યારે 3,438 લોકોના મૃત્યું થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસ 46,074 છે, 44,517 લોકો સાજા થઇ ગયા છે.
મુંબઇની વાત કરીએ તો અહીં 52,667 કેસ છે અને 1,857 લોકોના મૃત્યું થયા છે. છેલ્લા 24 કલાકમાં અહી 1,567 નવા કેસ સામે આવ્યાં છે જ્યારે 97 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 1,879 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બીજું શું કહ્યું...
મુખ્યમંત્રી ઉદ્ધ ઠાકરેએ કહ્યું કે સરકાર 'મિશન સ્ટાર્ટ અગેન' માટે સતર્ક પગલા લઇ રહી છે. અમે લૉકડાઉનને તબક્કાવાર રીતે લાગુ કર્યું અને તેને દૂર પણ કરવું પડશે. ખતરો હજુ ટળ્યો નથી.
જો લોકડાઉનની છૂટછાટમાં ખતરો જોવા મળશે તો અમારે ફરી લોકડાઉન લગાવવા મજબૂર થવું પડશે. રાજ્યના લોકો સરકારને સહયોગ કરી રહ્યાં છે અને દિશા-નિર્દેશોનું પાલન કરી રહ્યાં છે. તેઓને વિશ્વાસ છે કે સરકાર તેમના હિત માટે કામ કરી રહી છે.