મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ લગાડી દેવામાં આવ્યું છે, કોરોનાના વધતાં કેસોની વચ્ચે તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે રાત્રે 8 થી 5 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગૂ રહેશે, સાથે જ 31 માર્ચ સુધી બધા સાપ્તાહિક બજાર બંધ રહેશે.
મહારાષ્ટ્રમાં દૈનિક કેસોમાં જોરદાર ઉછાળો
આજે આવ્યા અધધધ 16620 કેસ
ચાલુ વર્ષમાંકોઈ એક રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ કેસ
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે, રાજ્યમાં આજે 16 હજારથી પણ વધુ કેસ નોંધાતા રેકોર્ડ તૂટયો હતો, આ વર્ષના એક દિવસમાં કોઈ પણ રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાયાનો આ રેકોર્ડ હતો, આજે મહારાષ્ટ્રમાં 50 લોકોના મોત થયા હતા અને મુંબઈમાં 1962 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કે 7 લોકોના મોત થયા હતા. લાતૂર જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ લગાડી દેવામાં આવ્યું છે.
ઘણી જગ્યાએ લગાવાયુ છે લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ
મહત્વનું છે કે મહારાષ્ટ્રના ઘણા શહેર અને જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ અને લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે, સાથે જ લાતૂર જિલ્લામાં પણ તંત્ર દ્વારા નાઈટ કારફયુનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને રાત્રે 8 થી સવારે 5 વાગ્યા સુધીનો કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે.
મહત્વનું છે કે આજે મહારાષ્ટ્રમાં 16620 નવા કેસ સામે આવ્યા હતા, નોંધનીય છે કે છેલ્લા બે દિવસોમાં મહારાષ્ટ્રમાં 15 હજારથી પણ વધુ કેસ સામે આવી રહ્યા હતા, અને આજે 8861 દર્દીઓ ઠીક થઈને ઘરે પરત ફર્યા હતા, અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 21,34,072 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને હાલમાં 1,26,231 કેસ ઍક્ટિવ છે. રાજ્યમાં રિકવરી રેટ 92.21 ટકા છે અને 5,83,713 લોકો હોમ આઇસોલેશનમાં છે. જ્યારે કે 5493 લોકો હોસ્પિટલમાં દાખલ છે. આજ સમયે પૂણેમાં આજે 1740 નવા કેસ સામે આવ્યા હતા અને 858 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે કે 17 લોકોના મોત થયા છે, હાલમાં આ શહેરમાં કુલ 11590 એક્ટિવ કેસ છે અને 4952 લોકોના મોત થઈ ચૂક્યા છે.
દેશમાં 3 કરોડ જેટલાને લગાવાઈ છે રસી
જો દેશની વાટ કરીએ તો આજે 25320 કેસ સામે આવ્યા હતા અને 161 લોકોના મોત થયા હતા જો કે આજે 16637 દર્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતા અને અત્યાર સુધીમાં દેશમાં લગભગ 3 કરોડ લોકોને રસી અપાઈ ચૂકી છે.