મહારાષ્ટ્રના વાધવાન પરિવાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કપિલ અને ધીરજ વાધવાન સહિત 23 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. મહારાષ્ટ્રમાં VVIPઓ દ્વારા લોકડાઉન તોડવા મામલે વિવાદ શરૂ થયો. DHFL કેસ સાથે જોડાયેલા કપિલ વાધવાન લોકડાઉન સમયે મહાબળેશ્વર ગયા હતા. કપિલ વાધવાન સહિત 23 લોકોને મહાબળેશ્વર જવા માટે પાસ આપવામાં આવ્યા હતા. ત્યારે લોકડાઉનમાં 23 લોકોની મહાબળેશ્વર યાત્રાને લઈને સિનિયર અધિકારીઓ ઘેરાયા છે.
લૉકડાઉનનો કર્યો ભંગ
કપિલ વાધવાન સહિત 23 લોકો સામે નોંધાઈ FIR
લૉકડાઉનમાં મહાબળેશ્વરની યાત્રાને લઈને સિનિયર અધિકારીઓ પણ મૂકાયા મુશ્કેલીમાં
An FIR has been registered against Kapil Wadhawan of DHFL group and 22 others (his family members & servants) at Mahabaleshwar police station for violating #CoronaLockdown orders: Satara Police #Maharashtra
મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અમિતાભ ગુપ્તાએ યાત્રાને મંજૂરી આપી હતી. જેને લઇ તેમને રજા પર ઉતારી દેવાયા છે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કરી માહિતી આપતા કહ્યું કે અમિતાભ ગુપ્તા તપાસ પુરી ન થાય ત્યાં સુધી રજા પર રહેશે. દેવેન્દ્ર ફડણવીસે કપિલ અને ધીરજ વાધવાન સહિત 23 લોકોના મહાબળેશ્વર પર જવાને લઇ સવાલ ઉઠાવતા કહ્યું કે મહારાષ્ટ્રમાં શક્તિશાળી અને અમીર લોકો માટે કોઇ લોકડાઉનનો નિયમ નથી.
કપિલ વાધવાન સહિત 23 લોકો મહાબળેશ્વર પહોંચ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ઝડપથી ફેલાયેલી કોરોના વાયરસની સાંકળ તોડવા માટે 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી. લૉકડાઉનના તમામ નિયમોને નકારી, DHFL કેસ સાથે સંકળાયેલા કપિલ વાધવાન સહિત 23 લોકો મહાબળેશ્વર પહોંચ્યા. આ મામલે નવો વળાંક આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકોનો મહારાષ્ટ્ર ગૃહ વિભાગના વિશેષ સચિવ અને વધારાના ડીજીપી અમિતાભ ગુપ્તાનો એક પત્ર છે, જેમાં તેમને કુટુંબની કટોકટીનો હવાલો આપીને મહાબળેશ્વર જવાની મંજૂરી આપવામાં આવી છે.
Maharashtra Principal Secretary (Special), Amitabh Gupta (who allegedly gave permission letter to Wadhavan family) has been sent on compulsory leave with immediate effect, till the pending of inquiry, which will be initiated against him: Home Minister Anil Deshmukh https://t.co/iFQHidM262pic.twitter.com/Qm1PXBrv05
કપિલ વાધવાન સહિત 22 લોકો અચાનક જ મહાબળેશ્વર પહોંચતાં વિપક્ષ દ્વારા ઉદ્ધવ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ ખાસ વીઆઇપી ટ્રીટમેન્ટ પર સવાલો ઉઠાવ્યા હતા.
No lockdowns for mighty & rich in Maharashtra?
One can spend holidays in Mahabaleshwar with official permission from police.
It is not possible that a senior IPS officer would do such gross mistake knowing the consequences on his own.
(1/2) https://t.co/0Ey8j938k8
આ સમયે તપાસમાં સામને આવ્યું છે તે વાધવાનબંધુને સરકારની તરફથી વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. સરકારની તરફથી એક પત્રમાં જાહેર કરાયું છે કે વાધવાનપરિવારને કોઈ પારિવારિક ઈમરજન્સી છે, તેમને મહાબળેશ્વર જવાની પરમિશન આપવામાં આવે. જો કે તપાસમાં આવી કોઈ ઈમરજન્સી જાણવા મળી નથી. પોલીસે જ્યારે વાધવાનભાઈઓને મહાબળેશ્વર આવવાનું કારણ પૂછ્યું તો તેઓએ ફક્ત કાગળ બતાવ્યો. આ કાગળ મહારાષ્ટ્રના પ્રિંસિપલ સેક્રેટરી (હોમ) અમિતાભ ગુપ્તાનો હતો જે 8 એપ્રિલે જાહેર કરાયો હતો.
ઉદ્ધવ સરકારે લીધા આ પગલાં
ઉદ્ધવ સરકારે કેસની તપાસને ગંભીરતાથી લેતા કહ્યું છે કે ગૃહ વિભાગના વિશેષ સચિવ અને એડિશનલ ડીજીપી અમિતાભ ગુપ્તાને તત્કાલ રીતે ફોર્સ લીવ પર મોકલી દેવાયા છે. આ વાતની જાણકારી મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને પણ કરવામાં આવી છે. જો કે દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યું છે કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખની પણ પૂછપરછ કરાશે. વાધવાનપરિવાકના 22 લોકોને ખંડાલાથી મહાબળેશ્વરની યાત્રા કરવાની પરમિશન કેવી રીતે મળી?