એક મહિલા ડોક્ટરે કોરોના કાળમાં પોતાના લગ્ન તોડવાનો નિર્ણય કર્યો. તેમણ કોરોનાના દર્દીની સેવાને અસલી ધર્મ માન્યો છે.
મહિલા ડોક્ટરે કોરોના કાળમાં પોતાના લગ્ન તોડવાનો નિર્ણય કર્યો
26 એપ્રિલે તેમના લગ્ન હતા પરંતુ...
વર્ષ સપ્ટેમ્બરમાં તેના પિતાનું નિધન થઈ ગયુ હતુ
મહિલા ડોક્ટરે કોરોના કાળમાં પોતાના લગ્ન તોડવાનો નિર્ણય કર્યો
કોરોનામાં સેવાને જ પોતાનો ધર્મ માનીને લોકો સેવા કરી રહ્યા છે. તે પોતાના પરિવારથી પણ પહેલા જરુરિયાત મંદોને આગળ રાખી રહ્યા છે. કોઈને મદદ કરવી કાંતો જરુરિયાત છે અથવા મજબૂરી છે. હવે નાગપુરમાં એવી જ એક ઘટના સામે આવી છે.અહીં એક મહિલા ડોક્ટરે કોરોના કાળમાં પોતાના લગ્ન તોડવાનો નિર્ણય કર્યો. તેમણ કોરોનાના દર્દીની સેવાને અસલી ધર્મ માન્યો છે.
26 એપ્રિલે તેમના લગ્ન હતા પરંતુ...
નાગપુરની આ મહિલા ડોક્ટરનું નામ છે અપૂર્વા મંગળગિરી છે જે સેન્ટ્રલ ઈન્ડિયા કાર્ડિઓલોજી હોસ્પિટલમાં ફિજિશિયન તરીકે કામ કરી રહી છે. 26 એપ્રિલે તેમના લગ્ન હતા. પરંતુ તેમણે લગ્ન તોડી નાંખ્યા. મનાઈ રહ્યુ છે કે તેમને પરિવાર કોરોના કાળમાં લગ્ન કરવા નહોતા માંગતા. તેવામાં લગ્નની તારીખ ટાળવા પ્રયાસો થઈ રહ્યા હતા. પરંતુ છોકરા તરફી માંગને ન સ્વીકારતા અપૂર્વાએ લગ્ન તોડી નાંખ્યા અને ફક્ત દર્દીઓને સમર્પિત થઈ ગયા.
વર્ષ સપ્ટેમ્બરમાં તેના પિતાનું નિધન થઈ ગયુ હતુ
અપૂર્વાએ જણાવ્યું કે કોરોના કારણે ગત વર્ષ સપ્ટેમ્બરમાં તેના પિતાનું નિધન થઈ ગયુ હતુ. તે સમયની લાચારી અને દુઃખનો અનુભવ છે જ્યારે કોઈ કોવિડ દર્દી અને તેમના સંબંધી જે આનો અનુભવ કરે છે. બીજી લહેર સમયે અનેક જરુરિયાતમંદોના ફોન આવે છે. મદદ માંગે છે. પરિસ્થિતિને જોતા અપૂર્વાએ લગ્ન તોડી નાંખ્યા
પરિવારને દીકરી પર ગર્વ
ત્યારે અપૂર્વાને એ વાતની જાણ છે કે હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સની અછત છે. તેવામાં પોતાની એક મિનિટ પણ દર્દીને મદદ કરી શકે છે. લગ્ન તોડવાનું આ મહત્વનું કારણ ગણાવ્યું છે. તેમના મતે જ્યારે હોસ્પિટલોમાં નર્સ અને ડોક્ટરની અછત હોય. કર્મચારી ન હોય ત્યારે લગ્ન ન થવા જોઈએ. તે ફક્ત આ સ્થિતિ પર કાબુ મેળવવા માંગે છે. મહિલા ડોક્ટરના આ સાહસને પરિવારે પણ બિરદાવ્યુ અને તેઓ પણ ખૂશ છે. પરિવારને દીકરી પર ગર્વ છે કે તેમની દીકરી મુશ્કેલ સમય પર લોકોને મદદ કરી રહી છે.