મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસની વચ્ચે સરકાર બનાવાને લઇને હજુ સુધી સમજૂતિને લઇને કોઇ ફોર્મ્યુલા બની રહી નથી. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં સાવચેતીથી પગલા લઇ રહી છે અને શિવસેના સાથે ગઠબંધનને લઇને મૂંઝવણમાં જોવા મળી રહી છે.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP-શિવસેના શું સાથે આવશે
શિવસેનાની સાથે જવાને લઇને કોંગ્રેસમાં સસ્પેન્સ
ધર્મનિરપેક્ષતા કેમ્પની વાતકરનારી કોંગ્રેસને ઉગ્ર હિંદુત્વ તરફેણ કરનારી શિવસેના સાથે સરકાર બનાવાને લઇને મતોના વિભાજનનો ડર સતાવી રહ્યો છે. આ જ કારણોસર મહારાષ્ટ્રમાં સરકારમાં ભાગીદારીની ઓફર મળવા છતાં કોંગ્રેસ વિચાર કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પહેલા ભાજપ અને ત્યારપછી શિવસેના સમય અવધીમાં સરકાર બનાવાનો દાવો રજૂ કરી ન શક્યા. મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસની યોજાયેલ મેરાથોન બેઠકમાં કોઇ પરિણામ ન આવ્યું. આમ મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઇને હજી પણ સસ્પેન્સ યથાવત છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જાતે ફોન કરી સોનિયા ગાંધી સાથે સરકાર બનાવા માટે સમર્થન માગ્યુ, પરંતુ કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે તેને માત્ર ઔપચારિક વાર્તા ગણાવી હતી.
જ્યારે બીજી તરફ કોંગ્રેસનું માનવુ છે કે મહારાષ્ટ્રમાં સરકારમાં મોડુ તેમના તરફથી નહીં, પરંતુ NCP અધ્યક્ષ શરદ પવાર તરફથી થઇ રહ્યું છે.
અલ્પસંખ્યક મત વિભાજનનો છે ખતરો
કોંગ્રેસને ચિંતા છે કે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે હાથ મિલાવાથી ઉત્તર ભારતીય મતદાતાઓ નારાજ થઇ શકે છે. શિવસેના મહારાષ્ટ્રમાં સમયાંતરે ઉત્તર ભારતીયોને નિશાન બનાવતી રહી છે. એવામાં શિવસેના સાથે સરકાર બનાવાને લઇને ઉત્તર ભારતીય રાજ્યમાં કોંગ્રેસને પોતાના મત કપાવાનો ડર છે.
બાલ ઠાકરે અને સોનિય ગાંધી વચ્ચે છત્તીસનો આંકડો
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો વિદેશી મૂળનો મુદ્દો બનાવી શિવસેનાના સંસ્થાપક બાલ ઠાકરેની મહત્વની ભૂમિકા રહી છે. એટલું જ નહીં સોનિયા ગાંધી 1999થી લઇને અત્યાર સુધી શિવસેનાના નેતાઓ સાથે મુલાકાત કરવાથી દૂર રહે છે.
મહારાષ્ટ્રમાં દિગ્ગજ કોંગ્રેસી નેતા ગઠબંધન કરવા નથી ઇચ્છતા
મહારાષ્ટ્રના કેટલાક દિગ્ગજ કોંગ્રેસી નેતા શિવસેના સાથે ગઠબંધન કરવાને લઇને સહમત નથી. તેમને લાગે છે કે NCP અને શિવસેનાની સરકાર બનાવામાં કોંગ્રેસ મદદ કરે છે તો બંને ક્ષેત્રીય પાર્ટી મહારાષ્ટ્રમાં મજબૂત થઇ જશે. એવામાં કોંગ્રેસની સ્થિતિ ઉત્તર પ્રદેશ જેવી થઇ જશે.