મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 'મુંબઈ ભારતની આર્થિક રાજધાની જ નથી, પરંતુ તે સાંસ્કૃતિક રાજધાની પણ છે. બોલીવુડ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી મોટી સંખ્યામાં લોકો માટે રોજગાર ઉત્પન્ન કરે છે. કેટલાક લોકો તેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જે ખૂબ જ કમનસીબ અને દુ:ખદાયક છે
શિવસેના સરકારના CM ઉદ્ધવ ઠાકરે એ આપી ચીમકી
બોલિવૂડને મુંબઈમાંથી ખતમ કરવાના મુદ્દે કર્યું આ મોટું નિવેદન
અમુક લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે: CM ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે એ કહ્યું છે કે બોલિવૂડ ને મુંબઇ થી ખતમ કરવા અથવા શિફ્ટ કરવાના પ્રયાસો જે રીતે કરવામાં આવી રહ્યા છે તે અમે સહન કરીશું નહીં.
" મુંબઈ આર્થિક જ નહિ, પરંતુ સાંસ્કૃતિક રાજધાની પણ છે ": મહારાષ્ટ્ર CM
મુંબઈ ના મહત્વ વિશે વાત કરતાં ઉદ્ધવ ઠાકરે એ કહ્યું હતું કે 'મુંબઈ ભારતની આર્થિક રાજધાની જ નહીં, પણ તે સાંસ્કૃતિક રાજધાની પણ છે. બોલીવુડ અને સિનેમા મોટી સંખ્યામાં લોકોને રોજગાર આપે છે.
તેમણે વધુમાં કહ્યું કે, ' બોલિવૂડ તેના સિનેમા માટે વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત છે અને હોલીવુડ ની ફિલ્મ્સ જેવી મહાન અને સારી ફિલ્મો બનાવે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે જોવામાં આવ્યું છે કે ચોક્કસ વર્ગના લોકો તેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ખૂબ જ કમનસીબ અને દુ:ખદાયક છે.
CM ઉદ્ધવ ઠાકરે એ થિયેટર માલિકો સાથે કરી હતી ચર્ચા
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે મલ્ટીપ્લેક્સ અને સિનેમા થિયેટર માલિકો સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તે જ સમયે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ સિનેમા માલિકોને ખાતરી પણ આપી હતી કે રાજ્ય સરકાર મલ્ટીપ્લેક્સ અને થિયેટરો ફરીથી ખોલવા માટે SOP પર કામ કરી રહી છે.
છેલ્લા સાતેક મહિનાથી સિનેમાઘરો બંધ છે
દરમિયાન, કોરોના સંકટને કારણે માર્ચ મહિનાથી દેશભરના સિનેમાઘરો બંધ હતા, પરંતુ મનોરંજન ઉદ્યોગ માટે આજનો દિવસ ખાસ હતો, કારણ કે દેશના મોટાભાગના થિયેટરો લગભગ સાત મહિના પછી ફરી ખુલ્યા હતા. જો કે, થિયેટર ખુલવા છતાં, ફિલ્મ નિર્માતાઓ કોરોના કાળમાં કોઈ મોટી ફિલ્મ રજૂ કરવા માંગતા નથી.
બીજી તરફ મહારાષ્ટ્ર માં આજથી મેટ્રો અને લાઇબ્રેરી ખોલવામાં આવી છે, પરંતુ મંદિર અને શાળા સહિતના સિનેમાઘરો હજી ખોલવામાં આવ્યા નથી. મહારાષ્ટ્રની જેમ પંજાબમાં પણ સિનેમા હોલ આજે ખુલ્લા નથી. જ્યારે રાજધાની દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશએ કોરોના ગાઈડલાઇન્સના નિર્દેશ સાથે અહીં સિનેમાઘરો ખોલ્યા છે.