મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું મોટુ નિવેદન આવ્યું છે. તેઓએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં NRC લાગુ નહી થાય. જ્યારે CAAને સમર્થન આપતાં કહ્યું છે કે તે લોકોની નાગરિકતા નહી છીનવે. NRC પર રોક લગાવવાનો નિર્ણય કરનાર આ એક વધુ રાજ્ય ગણાશે. ઉદ્ધવ ઠાકરેએ નાગરિકતા નહી છીનવાય તેવી ખાતરી આપી હતી.
ઉદ્ધવ ઠાકરેએ NRCને લઈને આપ્યું મોટું નિવેદન
મહારાષ્ટ્રમાં NRC લાગુ નહી થાય: ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ નાગરિકતા કાયદાને આપ્યું સમર્થન
મહાવિકાસ અઘાડીની સરકારના ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વાર હિંદુત્વનો નારો બુલંદ કર્યો છે. ઠાકરેએ કહ્યું કે શિવસેના હિંદુત્વની વિચારધારાને છોડશે નહીં અને તેની સાથે કોઈ કોમ્પ્રોમાઈઝ પણ કરશે નહીં. સામનાના સંપાદક સંજય રાઉતને ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, અમે હિંદુત્વને છોડ્યું નથી, ગઠબંધન કર્યું છે. તેનો અર્થ એ નથી કે અમે ધર્મ બદલી દીધો છે.
બાળ ઠાકરેની વિરાસત અપનાવવાની હોડ
મહારાષ્ટ્રની રાજનીતિમાં હિંદુ હ્રદય સમ્રાટ કોણ છે તે સવાલ પર એમએનએસ અને શિવસેનામાં લડાઈ શરૂ થઈ ચૂકી છે. એમએનએસ હિંદુત્વની રાજનીતિ અપનાવી રહી છે. આ સમયે મહારાષ્ટ્રના ઠાણેમાં એક પોસ્ટર લાગ્યું છે જેમાં રાજ ઠાકરેને હિંદુ હ્રદય સમ્રાટ કહેવામાં આવ્યા છે.
મનસેએ કરી નવા ધ્વજ, પ્રતીકો અને નવી વિચારધારાથી નવી શરૂઆત
હિન્દુત્વની રાજનીતિને પકડવાની આ લડાઇ 23 જાન્યુઆરીએ શરૂ થઈ હતી, જ્યારે મનસેએ નવા ધ્વજ, પ્રતીકો અને નવી વિચારધારાથી નવી શરૂઆત કરી હતી. મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ પાર્ટીના નવા ધ્વજનું અનાવરણ કર્યુ હતું, જે ઘેરો ભગવો રંગનો છે. આ સાથે છત્રપતિ શિવાજી મહારાજના શાસનનું ચલણ (શાહી સીલ) પ્રતીક તરીકે જારી કરવામાં આવ્યું. ગોરેગાંવના એનએસઈ ગ્રાઉન્ડ ખાતે પાર્ટીની ભવ્ય સંમેલન યોજાયું હતું.