મહારાષ્ટ્રની સત્તા પર છવાયેલા સંકટના વાદળો હવે હટી ગયા છે. રાજ્યના સીએમ ઉદ્ધવ ઠાકરે આજે વિધાનપરિષદના સદસ્ય બની ગયા. રાજ્યના મુખ્યમંત્રી બન્યા વિધાનસભા અથવા વિધાનપરિષદમાં ઉદ્ધવ ઠાકરેની સદસ્યતા અનિવાર્ય હતી.
પહેલીવાર વિધાનપરિષદના સદસ્ય બન્યા ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેની સાથે NCP અને કોંગ્રેસના ઉમેદવારો પણ વિજયી
ઠાકરેની સત્તા પરથી સંકટના વાદળો હટતા શિવસેનાને હાશકારો
શું સંકટ હતું ?
ઉદ્ધવ ઠાકરે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ વિધાનસભા કે વિધાનપરિષદમાં સભ્ય ન હતાં તેથી સીએમ બન્યાના 6 મહિનામાં તેમણે સદસ્યતા પ્રાપ્ત કરવાની હતી. કોરોના સંક્રમણના વિધાનસભાની કારણે પેટાચૂંટણી તો થઇ ન શકી જે બાદ ઉદ્ધવ ઠાકરેની સત્તા પર સંકટના વાદળો છવાયા હતા જોકે હવે ઉદ્ધવ ઠાકરે વિધાનપરિષદના સદસ્ય બન્યા હોવાથી મહારાષ્ટ્ર પરથી મોટું સંકટ ટળ્યું છે.
ઉદ્ધવ ઠાકરેની સાથે અન્ય આઠ ઉમેદવારોને પણ વિજેતા જાહેર
મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વચ્ચે આવેલ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર આવેલ રાજનીતિક સંકટ આખરે ટળી ગયું છે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે રાજ્ય વિધાન પરિષદ માટે નિર્વિરોધ જીત્યા. MLC બનતાની સાથે જ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓનો અંત આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે મંગળવાર થવા બુધવારે એમએલસી પદની શપથ લઇ શકે છે. ઉદ્ધવ ઠાકરેની સાથે અન્ય આઠ ઉમેદવારોને પણ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
સીએમ ઉદ્ધવ ઠાકરેની સાથે કોંગ્રેસ અને એનસીપીના પણ કેટલાક સભ્યો વિધાન પરિષદ માટે ચૂંટાયા છે. નોંધનીય છે કે 24 એપ્રિલના રોજ વિધાનપરિષદની 9 બેઠક ખાલી થઇ હતી જેના માટે આ બધા જ ઉમેદવારો મેદાનમાં હતા. એક અધિકારીએ જણાવ્યું કે આ બધા જ ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાયા છે.
મહારાષ્ટ્રમાં ઈતિહાસ રચાયો
નોંધનીય છે શિવસેનાની પરંપરા રહી છે કે તેના નેતા વિધાનસભા કે વિધાનપરિષદમાં જતા નથી અને બહારથી સરકાર ચલાવે છે પરંતુ છેલ્લા એક બે વર્ષમાં શિવસેનાએ નવો ઈતિહાસ રચ્યો છે. પહેલીવાર ઠાકરે પરિવારમાંથી કોઈ મુખ્યમંત્રી બન્યા અને હવે પહેલીવાર 59 વર્ષીય ઉદ્ધવઠાકરે વિધાનપરિષદના ધારાસભ્ય બની ગયા છે. પહેલીવાર મુખ્યમંત્રી બનેલા ઉદ્ધવ ઠાકરે પાસે 143 કરોડ રૂપિયાની મિલકત છે. આ સિવાય બે બંગલા છે. ઠાકરે વિરુદ્ધ 23 મામલા દાખલ થયા છે. ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મી મુખપત્ર સામનાના સંપાદક છે.