મહારાષ્ટ્રમાં આજે કેબિનેટની બેઠક યોજાવવા જઈ રહી છે. આ બેઠક ખાસ કરીને CM ઉદ્ધવ ઠાકરના ધારાસભ્ય પદને લઈને યોજાશે. ઉલ્લેખનીય છે કે 27 મે એ ઉદ્ધવ ઠાકરેના CM તરીકે 6 મહિના પૂરા થશે. આ સમયે તેઓનું ધારાસભ્ય તરીકે ચૂંટાવવું જરૂરી છે. ECને MLC ચૂંટણી માટે ભલામણ કરવામાં આવશે. આ માટેના તમામ પ્રસ્તાવ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પાસે રજૂ કરાયા છે.
મહારાષ્ટ્રમાં આજે કેબિનેટની બેઠક
ECને 9 સીટ માટે ચૂંટણીની માગ કરી શકે છે સરકાર
ધારાસભ્ય નહી બનવા પર CM તરીકે આપવુ પડી શકે રાજીનામુ
Maharashtra: Maha Vikas Aghadi leaders met Governor Bhagat Singh Koshyari today to discuss and request him to consider yesterday's cabinet proposal for the nomination of CM Uddhav Thackeray in the state's Legislative Council. pic.twitter.com/CHnGJUA8n8
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યો છે ત્યારે રાજકારણે પણ જોર પકડ્યું છે. બુધવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મંત્રીમંડળની બેઠક થશે. આ પછી રાજ્ય સરકાર વિધાન પરિષદની 9 બેઠકો માટે ચૂંટણી પંચને ચૂંટણીની ભલામણ કરી શકે છે. જો ચૂંટણી પંચ સરકારની માંગને સ્વીકારે તો ઉદ્ધવ ઠાકરે 28 મે પહેલા વિધાન પરિષદમાં ચૂંટાઇ શકે છે. હાલમાં, વિધાન પરિષદ માટે ઉદ્ધવ ઠાકરેની વરણી માટેના પ્રસ્તાવ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પાસે બાકી છે.
આ તારીખે સમાપ્ત થાય છે ઉદ્ધવ ઠાકરેની સમાપ્તિની તારીખ
ઉદ્ધવ ઠાકરેએ ગયા વર્ષે 28 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જોકે તે કોઈ ગૃહના સભ્ય નથી. બંધારણ મુજબ, શપથ લીધાના છ મહિનાની અંદર કોઈ પણ ગૃહના સભ્ય હોવું જરૂરી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટેની આ અંતિમ તારીખ 28 મેના રોજ સમાપ્ત થાય છે.
રાજ્ય મંત્રીમંડળે મોકલ્યો રાજ્યપાલને પત્ર
આ અગાઉ મંગળવારે મહા વિકાસ અઘાડી ના એક પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને વિધાન પરિષદના સભ્ય તરીકે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નામના પ્રસ્તાવ પર મળ્યા હતા. આ કેસમાં રાજ્ય મંત્રીમંડળે સોમવારે સાંજે રાજ્યપાલને બીજુ રિમાઇન્ડર મોકલીને વિધાનસભાના ઉપલા ગૃહમાં ઉદ્ધવ ઠાકરેની વરણી કરવા વિનંતી કરી. આ અંગે પહેલો પત્ર 11 એપ્રિલના રોજ મોકલવામાં આવ્યો હતો.
રાજ્યપાલ અસ્વીકાર કરે તો શું થાય?
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મંત્રીમંડળની સિફારિશને લઈને કોઈ નિર્ણય લીધો નછી. એવામાં જો પ્રસ્તાવનો અસ્વીકાર કરાય તો ઉદ્ધવ ઠાકરેની પાસે 2 વિકલ્પ રહેશે. 3 મેએ લૉકડાઉન ખતમ થયા બાદ તરત જ ચૂંટણી આયોગ વિધાન પરિષદની ખાલી સીટ માટે ચૂંટણીનું એલાન કરે અને 28 મે પહેલાં ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરીને પરિણામ જાહેર કરે. જેથી મુખ્યમંત્રી ધારાસભ્યના રૂપમાં સંસદના સભ્ય બની શકે.
વિધાન પરિષદની ચૂંટણી ન થવાની સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવું પડશે અને ત્યારબાદ ફરીથી શપથ લેવા પડશે. જો કે, આ પ્રક્રિયાની એક મોટી વાત એ છે કે કેબિનેટની તમામ સત્તા મુખ્યમંત્રી સોંપવામાં આવે છે. જો મુખ્યમંત્રી પોતાના પદ પરથી રાજીનામું આપે છે, તો આખા મંત્રીમંડળએ રાજીનામું આપવું પડશે અને બધા મંત્રીઓએ ફરીથી શપથ લેવા પડશે.