ઠાકરેએ કહ્યું જેમના નામ નોટમાં છે તે રાજીનામું આપશે?
પીએમ મોદી અને ગૃહમંત્રી શાહને કરી અપીલ
ઠાકરેનું મોટું નિવેદન
દાદરાનગર હવેલીના લોકસભાના સાંસદ મોહન ડેલકરની મોત મામલે રાજકારણ ગરમાયું છે મહારાષ્ટ્રની સરકારે મોત અંગે તપાસ ચાલુ કરી દીધી છે ત્યાં મુખ્યમંત્રી ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે અને વિરોધીઓ પર નિશાન સાધ્યું છે.
પીએમ મોદી અને ગૃહમંત્રીને કરી અપીલ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શું તે રાજનેતાઓ રાજીનામું આપશે જેમના નામ સાંસદ મોહન ડેલકરની સુસાઇડ નોટમાં સામે આવ્યું છે. કેમ રસ્તાઓ પર કોઈ વિરોધ નથી થઈ રહ્યો? હું પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહથી અપીલ કરું છું કે જ્યારે મુંબઈ પોલીસ ગુજરાતમાં તપાસ કરવા માટે પહોંચે ત્યારે સંપૂર્ણ સહયોગ કરવામાં આવે.
શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે કેન્દ્રશાસિત પ્રદેશથી અપક્ષ સાંસદ 58 વર્ષીય મોહન ડેલકરનું શરીર મુંબઈમાં એક હોટેલમાં પંખાથી લટકેલી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસને ઘટનાસ્થળથી સુસાઇડ નોટ પણ મળી આવી છે જે ગુજરાતીમાં છે.
અપક્ષ સાંસદ હતા ડેલકર
મોહન ડેલકર વર્ષ 1989માં પહેલીવાર જીતીને લોકસભા પહોંચ્યા હતા અને તેમણે પોતાના રાજકીય જીવનની શરૂઆત ટ્રેડ યુનિયનના નેતા તરીકે કરી હતી. તેઓ કોંગ્રેસ અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમણે ભારતીય નવશકિત પાર્ટી પણ બનાવી હતી. વર્ષ 2019માં તેઓ કોંગ્રેસથી અલગ થયા અને તે બાદ અપક્ષ ઉમેદવાર તરીકે ઉતાર્યા અને જીત હાંસલ કરી.