મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થઇ ગઇ છે. કોંગ્રેસ, શિવસેના અને NCP ગઠબંધન પર આજરોજ મહોર લાગી શકે છે. જો કે તે અગાઉ એક મોટી જાણકારી સામે આવી છે. જો મુખ્યમંત્રી પદ માટે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે નહીં માને તો પાર્ટીના સાંસદ સંજય રાઉત આ પદ સંભાળી શકે છે.
સંજય રાઉત CM પદની રેસમાં સૌથી આગળ
મહારાષ્ટ્રમાં સરકાર બનવાની કવાયત તેજ
શિવસેના-NCP-કોંગ્રેસની બેઠક
શિવેસનામાં ઉદ્ધવ ઠાકરે પછી CM પદની રેસમાં સંજય રાઉત સૌથી આગળ ચાલી રહ્યાં છે. આ અગાઉ ગુરૂવારના રોજ યોજાયેલી બેઠકમાં NCP પ્રમુખ શરદ પવારે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને સમજવાનો પ્રયત્ન કર્યો કે તેમણે મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળવો જોઇએ.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય સંકટનો હવે અંત આવી રહ્યો દેખાય છે. સૂત્રો જણાવી રહ્યું છેકે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી બનશે.
જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ ઉધ્ધવ ઠાકરે જો અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા પર મુખ્યમંત્રી પદની વાત બને તો કદાચ મુખ્યમંત્રી પદની રેસમાંથી પોતાનું નામ બહાર કરી શકે છે. આવા સંજોગોમાં સંજય રાઉત સાથે બીજા બે નામ પણ મુખ્યમંત્રી પદની રેસમાં જોવા મળી રહ્યાં છે. પરંતુ જો પાંચ વર્ષ શિવસેનાનો જ મુખ્યમંત્રી રહેવાને લઇને સમજૂતિ થઇ જાય તો ઉદ્ધવ ઠાકરે ચોક્કસથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની શકે છે.
મુખ્યમંત્રી તરીકે આ બે નવા નામ આવ્યાં ચર્ચામાં
સૂત્રોને મળતી જાણકારી મુજબ શિવસેના પાર્ટી દ્વારા બે દિગ્ગજ નેતા એકનાથ શિંદે અને સુભાષ દેસાઇના નામ પર પણ ચર્ચા કરવામાં આવી રહી છે. પાર્ટીના એક નેતા તરફથી ખબર આવી છે કે અઢી-અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી પદ સંભાળશે. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે નહીં કારણ કે તે તેમના પદને અનુરૂપ નથી.