બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / નાગપુર હિંસાના નુકસાનની કિંમત ગુનેગારો પાસેથી વસૂલ કરાશે, સીએમ ફડણવીસનો 'એક્શન પ્લાન' તૈયાર
Last Updated: 04:21 PM, 22 March 2025
Nagpur Violence : નાગપુર હિંસા બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં નાગપુરમાં થયેલી હિંસા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કડક વલણ અપનાવ્યું અને સ્પષ્ટ કર્યું કે, જાહેર સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ તોફાનીઓ દ્વારા કરવામાં આવશે. જો તેઓ પૈસા નહીં ચૂકવે તો તેમની મિલકતો જપ્ત કરવામાં આવશે અને જરૂર પડ્યે બુલડોઝરથી તોડવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. ફડણવીસે કહ્યું કે, અત્યાર સુધીમાં 104 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને CCTV ફૂટેજના આધારે વધુ ધરપકડો ચાલુ રહેશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓને પણ છોડવામાં આવશે નહીં. અત્યાર સુધીમાં 68 સોશિયલ મીડિયા પોસ્ટ ઓળખી કાઢવામાં આવી છે અને તેને કાઢી નાખવામાં આવી છે.
ADVERTISEMENT
Nagpur | On Nagpur violence, Maharashtra CM Devendra Fadnavis says, "Whatever damage has happened will be recovered from the rioters. If they do not pay the money, then their property will be sold for the recovery. Wherever required, bulldozers will also be used..." pic.twitter.com/AhVS6Mp8Kx
— ANI (@ANI) March 22, 2025
વિદેશી શક્તિની કોઈ ભૂમિકા નથી: CM ફડણવીસ
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ આ ઘટના અંગેની તમામ અટકળોને ફગાવી દીધી અને કહ્યું કે, તેમાં કોઈ વિદેશી શક્તિ કે બાંગ્લાદેશી લિંક સામેલ નથી. તે જ સમયે તેમણે સ્પષ્ટતા કરી કે, આ હિંસા પાછળ કોઈ રાજકીય પક્ષ ઉભરી આવ્યો નથી. ફડણવીસે ગુપ્તચર તંત્રની ભૂમિકા પણ સ્પષ્ટ કરી અને કહ્યું કે, આ ઘટના ગુપ્તચર તંત્રની નિષ્ફળતા નથી પરંતુ માહિતી તંત્ર વધુ મજબૂત બની શક્યું હોત. આ હિંસા અંગેના કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહિલા પોલીસ કર્મચારીઓનું શોષણ કરવામાં આવ્યું હતું પરંતુ મુખ્યમંત્રીએ આ અહેવાલોને અફવાઓ ગણાવીને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે, મહિલા પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો થયો હતો પરંતુ કોઈપણ પ્રકારની છેડતી થઈ નથી.
नागपुर घटना के दंगाइयों को कड़ी से कड़ी सजा मिलेगी!
— Devendra Fadnavis (@Dev_Fadnavis) March 22, 2025
जब तक आखिरी दंगाई को पकड़ा नहीं जाता तब तक ये कार्रवाई चलती रहेगी। जो भी नुकसान हुआ है उसकी भरपाई दंगाइयों से की जाएगी...
(पत्रकार परिषद | नागपुर | 22-3-2025)@NagpurPolice @nagpurcp#Maharashtra #Nagpur #NagpurViolence pic.twitter.com/qfLnVz2ysU
બુલડોઝર કાર્યવાહીની ચેતવણી
મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ હિંસામાં સામેલ લોકોએ તેની ભારે કિંમત ચૂકવવી પડશે. જો તેઓ નુકસાનની ભરપાઈ નહીં કરે તો તેમની મિલકતો જપ્ત કરવામાં આવશે અને બુલડોઝર પણ લગાવવામાં આવી શકે છે.
વધુ વાંચો : વડોદ રમખાણના તમામ આરોપી નિર્દોષ જાહેર, સુપ્રીમે પલટાવ્યો હાઇકોર્ટનો ચુકાદો
હિંસા કેવી રીતે ફાટી નીકળી
ઉલ્લેખનીય છે કે, 17 માર્ચે નાગપુરના ઘણા ભાગોમાં પથ્થરમારો અને આગચંપીનાં અહેવાલો આવ્યા હતા. છત્રપતિ સંભાજી નગરમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નેતૃત્વમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ધાર્મિક લખાણોવાળી શીટ સળગાવી દેવામાં આવી હોવાની અફવાઓ બાદ હિંસા ફાટી નીકળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.