મુંબઇ: મહારાષ્ટ્ર સ્ટેટ કમીશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ટ્વીટર કમ્યુનિકેશન પ્રાઈવેટ લિમીટેડને નોટિસ ફટકારી છે. મહારાષ્ટ્રના જલગાંવના વકાડીગામમાં બે દલિત સગીરોને નિર્વસ્ત્ર કરીને ફેરવવાના મામલે આ નોટિસ ફટકારવામાં આવી છે. આ સગીરોનો વીડિયો શેર કરવો અને સગીરોની ઓળખ જાહેર કરવાને લઈને રાહુલ ગાંધીને નોટિસ ફટકારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે જે અંતર્ગત રાહુલ ગાંધીએ 10 દિવસમાં જવાબ આપવાનો રહેશે. અમોલ જાધવની ફરિયાદના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને દલિત સગીરની ભૂલ એટલી હતી કે તેઓએ અન્ય જ્ઞાતિના લોકોના કૂવે જઈને ન્હાયા હતા. જેથી તેમને નિર્વસ્ત્ર કરીને માર પણ મારવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ આ વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો. તો આ મામલે પોલીસે ઈશ્વર જોશી અને તેના કર્મચારી પ્રહાલાદ લોહારની ધરપકડ કરી હતી.
આપને જણાવી દઇએ કે આ મામલામા કોંગ્રેસના અધ્યક્ષે હસ્તક્ષેપ કરીને પોતાના ટ્વીટર પેજ પર આ વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોની સાથે રાહુલે લખ્યું હતું કે 'મહારાષ્ટ્રના આ દલિત બાળકોનો અપરાધ માત્ર એટલો હતો કે તેઓ એક "સુવર્ણ"કુવામાં સ્નાન કરી રહ્યા હતા.' આજે માનવતા પણ તણખલાના સહારે પોતાની અસ્મિતા બચાવવાનો પ્રયાસ કર્યો હતો. RSS/BJPની મનુવાદની નફરતની ઝેર ભરેલી રાજનીતિ વિરૂધ્ધ અમે અવાજ ઉઠાવી ન હોત તો ઇતિહાસ અમને ક્યારેય માફ ના કરેત.
અત્રે ઉલ્લેખનીય છે કે કોઇપણ સમાચાર પત્ર મેગેઝિન ન્યૂઝ શીટ ઓડિયો-વિઝ્યુઅલ મીડિયામાં કોઇપણ પ્રકારના ઉત્પડીનનો શિકાર થયેલ સગીરનો તસવીર નામ સરનામુ સ્કૂલનું નામ કોઇપણ સ્થળે શેર કરવું ગેરકાનુની છે.