મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે વિપક્ષના હિન્દુત્વના સવાલ પર જવાબ આપ્યો. તેઓએ કહ્યું કે પોતાની વાત પર કાયમ રહેવું જ તેમના માટે હિન્દુત્વ છે. નોંધનીય છે કે, કોંગ્રેસ સાથે ગઠબંધન બાદથી જ ફડણવીસ અને બીજેપી ઉદ્ધવ ઠાકરેનો હિન્દુત્વના સવાલ પર ઘેરાવ કરતા રહ્યા છે, ત્યારે તેના પર તેઓએ જવાબ આપ્યો છે.
ગત પાંચ વર્ષોમાં મેં ક્યારેય સરકારનો વિશ્વાસ નથી તોડ્યો
ઉદ્ધવ ઠાકરે કહ્યું, દેવેન્દ્ર ફડણવીસ પાસેથી ઘણી વસ્તુઓ શીખી છે
ગૃહમાં ચર્ચા દરમિયાન ઉદ્ધવ ઠાકરે કહ્યું કે જનતાના આશીર્વાદથી હું મુખ્યમંત્રી બન્યો અને હું ભાગ્યશાળી છું કેમકે ગત 30 વર્ષથી જે મારા વિરોધી હતા, તેઓ હવે મિત્ર બની ગયા છે. હું દેવેન્દ્ર ફડણવીસ પાસેથી ઘણું શીખ્યો છું, તેઓને વિરોધી પક્ષ નહીં કહું, પરંતુ એક પાર્ટીનો નેતા કહીશ.
Maharashtra Chief Minister Uddhav Thackeray: I have learnt a lot of things from Devendra Fadvanis and I will always be friends with him. I am still with the ideology of 'Hindutva' and won't ever leave it. In past 5 years, I've never betrayed the govt. https://t.co/RucxPRvsfRpic.twitter.com/3K5qJKEPAU
ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, મેં દેવેન્દ્ર ફડણવીસ પાસેથી ઘણી વસ્તુઓ શીખી છે અને હું હંમેશા તેમની સાથે મિત્રતા રાખીશ. હું હજુ પણ હિન્દુત્વની વિચારધારાની સાથે છું અને તેને ક્યારેય નહીં છોડું. ગત 5 વર્ષોમાં મેં ક્યારેય સરકારનો વિશ્વાસઘાત નથી કર્યો.