મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તારથી જોડાયેલા એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે ભાજપે શિવસેનાને રાજ્યમાં ડેપ્યુટી મુખ્યમંત્રીનું પદ ઓફર કર્યું હતું, પરંતુ શિવસેનાએ આ ઓફરને ફગાવી દેતા કહ્યું હતું કે એમને બે મંત્રીના પદ જોઇએ. શિવસેનાની આ માગને રાજ્ય ભાજપ નેતૃત્વ અને સીએમ દેવેન્દ્ર ફડણવીસે સ્વિકાર કરી લીધો.
રિપોર્ટ પ્રમાણે પહેલા શિવસેના રાજ્યના ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઇને ડેપ્યુટી સીએમ બનાવવા ઇચ્છતી હતી, પરંતુ શિવસેનાના અંદરના કેટલાક મંત્રીઓએ આ વાતનો વિરોધ કર્યો. પાર્ટીમાં સંભાવિત વિરોધને કારણે ઉદ્ધવ ઠાકરે સુભાષ દેસાઇને ડેપ્યુટી સીએમ બનાવવા ભાજપની ઓફર ફગાવી દીધી, રવિવારે થયેલી કેબિનેટ વિસાતરમાં ઉદ્ધવ ઠાકરે પોતે હાજર પણ રહ્યા નહીં. ઉદ્ધવ રવિવારે ઉત્તર પ્રદેશના અયોધ્યા મુલાકાતે હતા.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીથી માત્ર 3 મહિના પહેલા સીએમ દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો છે. સીએમએ 13 નવા મંત્રીઓને પોતાની કેબિનેટમાં સામેલ કર્યા છે. જ્યારે 6 મંત્રીઓની કેબિનેટથી છુટ્ટી થઇ ગઇ છે. જે 13 ધારાસબ્યોને મંત્રી બનાયા છે એમાં ભાજપના 10, શિવસેનાના બે અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા એ નો એક ધારાસભ્ય સામેલ છે. એમાંથી 8 મંત્રી કેબિનેટ સ્તરના છે, જ્યારે 5 રાજ્ય મંત્રી છે.
ફડણવીસે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા રાધાકૃષ્ણ વિખે પાટિલને કેબિનેટ મંત્રી બનાવ્યા છે. પાટિલ થોડાક દિવસ પહેલા સુધી વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ હતા. બાદમાં એ ભાજપમાં સામેલ થઇ ગયા હતા. મહારાષ્ટ્ર ભાજપના અધ્યભ આશીષ શેલાર પણ મંત્રી બનેલા છે શિવસેનાથી જયદત્ત ક્ષીરસાગરને પણ મંત્રી બનાવાયા છે.