મુંબઇઃ દેશમાં મોટા ભાગના રાજ્યોમાં રાજ્યમાં સૌથી વધુ વસ્તી ધરાવતી જ્ઞાતિઓ દ્વારા અનામતની માગ કરવામાં આવી રહી છે. ત્યારે આ માગ સરકારના ગળામાં હાડકાની જેમ ફસાઈ છે. એવામાં મોટી વોટબેંકને કબ્જે કરવા માટે મહારાષ્ટ્ર કેબિનેટ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. કેબિનેટે અનાપર સહમતિ દર્શાવી છે. મરાઠા સમાજના લોકોને SEBCની અલગ શ્રેણીમાં અનામત અપાશે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે કે મરાઠા સમુદાયને એસઈ-બીસી (સામાજિક અને શૈક્ષણિકરીતે પછાતવર્ગ) હેઠળ આરક્ષણ આપવામાં આવશે. આ આરક્ષણ ઓબીસી આરક્ષણને કોઈ ઝટકો આપ્યા વગર અલગ ક્વોટામાં આપવામાં આવશે.
#Maratha reservation:
We received Backward Class Commission report with 3 recommendations.
Independent reservation will be given to Maratha community in SEBC.
We constituted a Cabinet Sub-committee to take statutory steps for implementing the recommendations: CM @Dev_Fadnavispic.twitter.com/K1jwRDRlND
મરાઠા સમાજની નારાજગી દૂર કરવા માટે મહારાષ્ટ્ર સરકાર મરાઠાઓને અનામત આપે તેવી સંભાવનાઓ હતી. આ માટે ખૂદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવિસે સંકેત આપ્યા હતા. ત્યારે હવે મહારાષ્ટ્ર કેબિનેટ દ્વારા મરાઠા સમાજના લોકોને SEBCની અલગ શ્રેણીમાં અનામત આપવામાં આવશે.
મહત્વનું છે કે મહારાષ્ટ્રના ઓબીસી આયોગે મરાઠાઓ અંગેનો પોતાના સર્વેનો રિપોર્ટ સરકારને સોપ્યો હતો. આ રિપોર્ટ અંતર્ગત મરાઠાઓને અનામત આપી શકાય છે. ત્યારે મરાઠાઓને અનામત આપવા માટે સરકારનો માર્ગ મોકળો બન્યો હતો.