મહારાષ્ટ્ર મંત્રીમંડળમના રવિવારે વિસ્તારમાં નવા 13 મંતરી બનાવવામાં આવ્યા છે. જેમા 8 મંત્રીએ કેબિનેટ અને 5 નવા રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. કોંગ્રેસ છોડીને શિરડીના ધારાસભ્ચ રાદાકૃષ્ણ વિખે પાટિલ અને રાકાંપાથી શિવસેનામાં આવેલા જયદત્ત ક્ષીરસાગરને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્ચા હતા. ભાજપમાંથી 6 નેતાઓને કેબિનેટ અને 4 ને રાજ્યમંત્રી બનાવાયા છે. શિવસેનામાંથી 2 મંત્રીને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી એકનાથ ખડસેને આ વાત પર નારાજગી દર્શાવી છે કે, પાર્ટીના નિષ્ઠાવાન નેતાઓ પર અન્યાય કરવામાં આવી રહ્યો છે. અને કેટલાક દિવસો પૂર્વ પાર્ટીમાં સામેલ નેતાઓને મંત્રી પદથી નવાજવામાં આવી રહ્યા છે.
પત્રકારો સાથેની વાતચીતમાં એકનાથ ખડસેએ આ સંદર્ભમાં નારાજગી વ્યક્ત કરી છે. ખડસેએ કહ્યું, ભાજપામાં અનેક વર્ષોથી ચૂંટાઇ આવતા લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. તેથી હાલમાં જ પાર્ટીને જોઇન કરનાર લોકોને મંત્રી પદ આપવાથી કેટલાક કાર્યકર્તાઓમાં નારાજગી હોવી સ્વાભાવિક છે.
આપને જણાવીએ કે, આરપીઆઇના કોટાથી એક રાજ્યમંત્રીને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યો છે. રવિવારે ફડણવીસ સરકારને 6 મંત્રીઓએ રાજીનામુ આપ્યું. જેમા સામાજિક ન્યાય મંત્રી રાજકુમાર બડોલે, આવાસ મંત્રી પ્રકાશ મહેતા, આદિવાસી વિકાસ મંત્રી વિષ્ણુ સાવરા, ન્યાય રાજ્યમંત્રી પ્રવીણ પોટે, સામાજિક ન્યાય રાજ્યમંત્રી દિલીપ કાંબલે અને જનજાતીય વિકાસ રાજ્ય મંત્રી અંબરીશ આત્રામ સામેલ છે.