આજે મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ થવાનું સૂત્રો કહી રહ્યા છે. કોંગ્રેસના 9 મંત્રીઓને મંત્રી પદ મળી શકે છે. અશોક ચવ્હાણ અને આદિવાસી મંત્રી શપથ લઈ શકે છે. મહિલા ધારાસભ્ય વર્ષા ગાયકવાડ પણ શપથ લેવાના છે. જો કે પૃથ્વીરાજ ચવ્હાણ સરકારમાં ભાગ નહીં લે તેવી માહિતી સામે આવી છે.
સોમવારે મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ
કોંગ્રેસના 9 મંત્રીઓ લઇ શકે છે શપથ: સૂત્ર
અજિત પવારને મળી શકે છે નાયબ મુખ્યમંત્રી પદ
આ ઉપરાંત NCPના નવાબ મલિકને શ્રમ અથવા આવાસ મંત્રાલય આપવામાં આવી શકે છે. ધનંજય મુંડેને નાણા મંત્રાલય મળવાની શક્યતા છે. છગન ભુજબળને ગ્રામીણ વિકાસ મંત્રાલય અપાય તેવી શક્યતા છે. દિલીપ વાલસે પાટિલનો મંત્રીમંડળમાં સમાવેશ કરાઈ શકે છે.
અજિત પવારને મળી શકે છે નાયબ મુખ્યમંત્રી પદ
નોંધનીય છે કે, ઘણા સમયથી ત્રણેય પાર્ટીઓમાં ખેંચતાણ ચાલી રહી છે ત્યારે આવતીકાલે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થાય છે. નાયબ મુખ્યમંત્રી પદે અજિત પવારને આપવાની વાતો પણ સૂત્રો કહી રહ્યા છે.
રાતોરાત બની હતી ભાજપ સરકાર
આપને જણાવી દઇએ કે, શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભાજપ સાથે લડી હતી. શિવસેના-ભાજપ ગઠબંધનને પણ બહુમતી મળી, પરંતુ શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.
અજિત પવાર બન્યા હતા નાયબ મુખ્યમંત્રી
જો કે, ત્યારબાદ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે એનસીપી નેતા અજિત પવાર સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી હતી. જ્યારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા, ત્યારે અજિત પવારને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા.