મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતા ઠાકરે સરકાર એક્શન મોડમાં આવી છે અને કેબિનેટની બેઠકમાં રાજ્યમાં કોરોનાને મ્હાત આપવા માટે કેટલાક કડક નિર્ણયો લીધા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાને લગતા નિયમો વધુ કડક
મોલ, થિયેટર, ગાર્ડન સંપૂર્ણ બંધ
શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન
મળતી જાણકારી પ્રમાણે, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા સંપૂર્ણ લોકડાઉન નહીં પરંતુ નિયમો કડક બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે. ઠાકરે સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયેલ નિર્ણય પ્રમાણે, રાજ્યમાં મોલ, થિયેટર, ગાર્ડન સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. આ સાથે જ હોટલ, રેસ્ટોરામાં બેસીને જમવાની મંજૂરી નહીં તો રમત-ગમતના મેદાન પણ બંધ રહેશે.
વીકેન્ડમાં લોકડાઉન રહેશે
Maharashtra will enter strict weekend lockdown from Friday 8 pm to Monday 7 am. Essential services and transportation including buses, trains, taxis are permitted: Maharashtra Minister Nawab Malik pic.twitter.com/9bylFRal9q
મહત્વનો નિર્ણય લેતા સમગ્ર રાજ્યમાં શુક્રવારે રાત્રે 8 થી સોમવારે સવારે 7 સુધી લોકડાઉન રહેશે. જેમાં આવશ્યક સેવા સિવાય કોઇપણ વાહન ચલાવવાને મંજૂરી આપવામાં આવશે નહીં. બાકીના દિવસોમાં રાત્ર 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યું રહેશે.
વધુ કલાકારો સાથે ફિલ્મના શૂટિંગ પર પ્રતિબંધ
Night curfew will be put in place from 8 pm to 7 am. Only essential services will be permitted. Restaurants are permitted only for take away & parcel services. For offices, employees will have to work from home. Detailed SOP will be released soon:Maharashtra Minister Aslam Shaikh pic.twitter.com/FRcUsZZ89S
રાજ્ય સરકારની બેઠક પછી મંત્રી અસલમ શેખે કહ્યું હતું કે થિયેટરો, રેસ્ટોરાં, મોલ્સ અને બાર સંપૂર્ણ બંધ રહેશે. આ સાથે, વધુ કલાકારો અને સ્ટાફની જરૂર પડે તેવી ફિલ્મો અને સિરિયલનું શૂટિંગ તેમને શૂટિંગ કરવાની મંજૂરી આપશે નહીં.
ઠાકરે સરકારની મળી હતી કેબિનેટ બેઠક
સમગ્ર દેશમાં નોંધાઇ રહેલા કોરોનાના કેસ પૈકી 50 ટકા કેસ માત્ર મહારાષ્ટ્રના છે. જેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન ચિંતિત છે. ત્યારે આજે તેમણે તાબડતોબ બેઠક બોલાવી હતી જેમાં રાજ્યમાં કોરોનાના કેસ વધતા કડક નિયમો પર નિર્ણય લેવામાં આવ્યા છે.
દેશમાં કોરોના વાયરસના 93,249 નવા કેસ
દેશમાં કોરોના વાયરસના 93,249 નવા કેસ નોંધાયા છે. જે અંદાજિત ગત 5 મહિનામાં એક દિવસના સૌથી વધુ કેસ છે. ત્યારે, 24 કલાકમાં 513 મોત થયા છે. આ દરમિયાન 60,048 દર્દી પણ સાજા થયા છે. કોરોનાના કુલ કેસ વધીને 1,24,85,509 થઇ ગયા છે. અત્યાર સુધી આ વાયરસને 1,16,29,289 દર્દી સાજા થઇ ચૂક્યા છે. દેશભરમાં કોરોનાના 6,91,597 એક્ટિવ કેસ છે. ત્યારે, આ ઘાતક વાયરસથી કુલ 1,64,623 મોત થઇ ચૂક્યા છે. આ સાથે જ ફરી એકવાર રોજના કોરોના કેસોના મામલે ભારત દુનિયામાં પહેલા નંબરે પહોંચી ગયું છે. શુક્રવારે અંદાજિત 89,000 નવા કેસ નોંધાયા હતા જે દુનિયામાં સૌથી વધુ હતા. ત્યારબાદ અમેરિકા(70,024) અને બ્રાઝીલ(69,662)નો નંબર હતો.
શનિવારે મહારાષ્ટ્રમાં 49 હજાર નવા કેસ
છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 49,447 નવા કેસ નોંધાયા હતા અને 277 લોકો મોત પામ્યા હતા, આના લીધે રાજ્યમાં મૃત્યુ દર હવે 1.88 ટકા થઈ ગયો છે, નાગપુરમાં આજે 3720 નવા કેસ નોંધાયા હતા અને મુંબઈમાં 9090 કેસ નોંધાતા આજે પણ એક દિવસમાં સૌથી વધુ કેસનો રેકોર્ડ તૂટયો હતો.
સીએમ ઉદ્ધવ ઠાકરેએ નારાજગી દર્શાવી હતી
મહારાષ્ટ્રમાં આજે કોરોનાણ રેકોર્ડ બ્રેક 49447 કેસ નોંધાતા ઉદ્ધવ સરકાર પર દબાણ વધી રહ્યું છે, મહત્વનું છે કે સીએમ ઉદ્ધવ ઠાકરેએ નારાજગી દર્શાવતા કહ્યું હતું કે હાલમાં તો લોકડાઉન નથી લગાવતા, પણ જે રીતે કેસ વધી રહ્યા છે, તેને જોતાં લોકડાઉન લગાવવું પડી શકે છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9000 થી વધુ નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાના આ સૌથી વધુ કેસ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં વાયરસને કારણે 27 લોકોએ જીવ ગુમાવ્યો છે.
મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9000 કેસ
આર્થિક રાજધાની મુંબઇમાં શનિવારે કોરોના વાયરસના કેસમાં દેશમાં સૌથી વધુ કોવિડ -19 કેસ નોંધાયા છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9000 થી વધુ નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાના આ સૌથી વધુ કેસ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં વાયરસને કારણે 27 લોકોએ જીવ ગુમાવ્યો છે.