મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાવિકાસ અઘાડી સરકારના નાણા મંત્રી અજિત પવારે સરકારનું પહેલુ બજેટ રજૂ કર્યું. આ દરમિયાન અજિત પવારે કહ્યું કે મહારાષ્ટ્રના 80 ટકા સ્થાનિક લોકોને રોજગારી આપવા માટે સરકાર કાયદો બનાવશે. આ સાથે રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. અજીત પવારે કહ્યું કે રાજ્યના 2 લાખ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનું દેવુ માફ કરી દેવામાં આવશે.
મહારાષ્ટ્રમાં મહાવિકસ અઘાડી સરકારનું પહેલુ બજેટ
નાણામંત્રી અજિત પવારે સરકારનું પહેલુ બજેટ રજુ કર્યું
સરકારે ખેડૂતોનું 2 લાખ રૂપિયાનું દેવુ માફ કર્યું
આ બજેટ કરતાં પહેલા અજીત પવારે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. જેમાં આ વાતનો ખુલાસો થયો હતો કે આ વખતે મહારાષ્ટ્રમાં ગત વખતની સરખામણીમાં 57 હજાર કરોડ રૂપિયાનો વધુ આર્થિક બોજો પડ્યો છે. સર્વેના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં કુલ 471642 કરોડ રૂપિયાનો આર્થિક બોજો છે.
બજેટની મુખ્ય વાતો...
નગર વિકાસ વિભાગ માટે 6025 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. નાણા મંત્રી અજિત પવારે કહ્યું કે આ વર્ષે મહારાષ્ટ્રનો વિકાસ દરમાં ઘટાડો જોવા મળી શકે છે. જે ઘટીને 5.7 ટકા રહેવાનું અનુમાન છે.
જ્યારે રાજ્યમાં નવી મેડિકલ કોલેજ બનાવામાં આવશે. તબીબોની સંખ્યામાં વધારો થશે. ધારાસભ્યોને મળનારી લોકલ એરિયા ડેવલપમેન્ટ (LAD) ફંડને 2 થી વધારીને 3 કરોડ રૂપિયા કરવામાં આવી.
રાજ્યમાં 80 ટકા લોકોને રોજગારી આપવા માટે સરકાર કાયદો બનાવશે. મુંબઇ-ગોવા હાઇવેને લઇને ભૂમિ અધિગ્રહણ માટે 1200 કરોડનો ખર્ચ કરશે. 5 વર્ષમાં 5 લાખ યુવાઓને નોકરી મળવી જોઇએ. મહારાષ્ટ્રમાં શિક્ષણ પાછળ 6 હજાર કરોડ ખર્ચ થશે. પૂણામાં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ યૂનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. મહારાષ્ટ્રના સોલાપુર અને પૂણેમાં નવું એરપોર્ટ બનશે.