2024માં 2019ની સરખામણીએ શિવસેનાના ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. 2019માં પાર્ટીએ 124 સીટો પર ચૂંટણી લડી હતી અને 56 પર જીત મેળવી હતી. આ સાથે જ 164 પર આવી ગયેલા ભાજપને 105 બેઠકો મળી છે.
આગામી ચૂંટણીમાં સીટો લઈને ભાજપ શિવસેના વચ્ચે ખેંચતાણ
શિવસેનાના ખાતામાં માત્ર 48 સીટો આવશે
BJPનું ગણિત જોઈને શિવસેનાના ધારાસભ્ય થયા ગુસ્સે
મહારાષ્ટ્રમાં રાજકારણ મોટા પાયે ચાલી રહ્યું છે. ત્યારે હવે આગામી ચૂંટણીને લઈને પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે વણસેલા સંબંધોના સંકેતો છે. જો કે બંને પક્ષોએ સત્તાવાર રીતે કંઈ કર્યું નથી, પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની 240 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાતથી શિવસેના ચિંતામાં પડી ગઈ છે. જેને લઈને વિપક્ષ તરફથી પણ ભાષણબાજી શરૂ થઈ ગઈ છે. ગયા અઠવાડિયે બીજેપીના મહારાષ્ટ્રના વડા ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું હતું કે પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં 240 સીટો પર ચૂંટણી લડશે. આ દર્શાવે છે કે શિવસેનાના ખાતામાં માત્ર 48 સીટો આવશે. બાવનકુળેએ કહ્યું હતું કે, 'અમે 248-250 સીટો પર ચૂંટણી લડીશું. શિંદે જૂથ પાસે 48-50થી વધુ ધારાસભ્યો નથી જે ચૂંટણી લડશે. તેના પર શિવસેનાના ધારાસભ્ય સંજય શિરસાટે કહ્યું, 'શું બકવાસ છે, શું આપણે આટલી ઓછી સીટો પર સહમત થઈશું ? મૂર્ખ છીએ ?' ધારાસભ્ય સંજય ગાયકવાડે કહ્યું કે, 'શિવસેના 130થી 135થી ઓછી સીટો માટે તૈયાર નહીં થાય. ભાજપે યાદ રાખવું જોઈએ કે તેમનું જોડાણ બાળ ઠાકરે દ્વારા રચાયેલી મૂળ શિવસેના સાથે છે. ડેમેજ કંટ્રોલ જોકે રાજકીય હોબાળો જોતા બંને પક્ષો ડેમેજ કંટ્રોલ કરતા જોવા મળ્યા હતા.
ભાજપ અને શિવસેના વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલા હજુ નક્કી થઈ
એક તરફ બાવનકુલેએ બેઠકમાં જણાવ્યું કે ભાજપ અને શિવસેના વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલા હજુ નક્કી થઈ નથી. જ્યારે શિવસેનાએ પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો અને પ્રવક્તા નરેશે કહ્યું કે તેમની વચ્ચે કોઈ ઝઘડો નથી. બીજેપી રિપોર્ટ અનુસાર બીજેપીના એક વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યું, 'ભાજપે શિવસેનાને સમર્થન આપવાનું વચન આપ્યું છે, પરંતુ તે સંગઠન સ્તરે તેના વિસ્તરણને રોકી શકે નહીં. પોતાના કેડરને ચૂંટણી મોડમાં રાખવા માટે પાર્ટીએ એક મોટો સંદેશ આપવાનો હતો કે તમે એકલા હાથે બહુમત માટે તૈયાર રહો.
ભાજપના એક નેતાએ કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે શિંદે અને ફડણવીસ કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી મેળવ્યા પછી સીટ વહેંચણીની ગોઠવણને અંતિમ સ્વરૂપ આપશે. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ ભાજપના એક સૂત્રએ જણાવ્યું હતું કે, પોતાના માટે 150 બેઠકોનો લક્ષ્યાંક રાખનાર ભાજપ કોઈપણ સંજોગોમાં 185 થી 190 બેઠકો પર સેટલ નહીં થાય. શિવસેનાને 98-103 બેઠકો સ્વીકારવી પડશે. ખાસ વાત એ છે કે જો આંકડો આમ જ રહેશે તો 2019ની સરખામણીમાં શિવસેનાના ઉમેદવારોની બેઠકોની સંખ્યા ઘટશે. તે દરમિયાન પાર્ટીએ 124 સીટો પર ચૂંટણી લડી હતી અને 56 પર જીત મેળવી હતી. આ સાથે જ 164 પર આવી ગયેલા ભાજપને 105 બેઠકો મળી છે. ભાજપનું માનવું છે કે બાવનકુળેના નિવેદનનું કારણ શિવસેનાનો મર્યાદિત આધાર છે. પાર્ટીનો જન આધાર થાણે, કોંકણ, મરાઠવાડાના ભાગો અને પૂર્વી વિદર્ભ સુધી વિસ્તરેલો છે. જ્યારે ભાજપ સંગઠન સ્તરે મજબૂત છે. મહારાષ્ટ્રમાં દરેક 90,000 બૂથમાં 10 થી 25 કાર્યકરો છે. આ સિવાય પાર્ટી વિપક્ષને નબળો પાડવાનો પણ દાવો કરી રહી છે.