મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઇને જેવી રીતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે કશ્મકશ ચાલી રહ્યું છે તેમ છતાં ભાજપના દિગ્ગજ નેતાઓ પરેશાન જોવા નથી મળી રહ્યાં. ભાજપના નેતાઓ જણાવી રહ્યાં છે કે રાજનીતિમાં મોલભાવ કરવો ખોટી વાત નથી, જેને જ્યારે તક મળે છે ત્યારે તે કરે છે. એક અહેવાલ મુજબ શિવસેના ગમે તેટલું ભાજપ વિરોધી વલણ દાખવે પરંતુ અંતમાં બાજપ સાથે જ સરકાર બનાવશે.
શિવસેનાના મોલભાવ કરવાના છતાં ભાજપના નેતાઓ પરેશાન નહીં
નાણામંત્રાલય અને ગૃહ વિભાગ જેવા ખાતા પર શિવસેનાની નજર
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવે એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે રાજનીતિમાં ડિમાન્ડ કરવું ખોટુ નથી. શિવેસના પાસે તક છે જેને લઇને તેઓ ડિમાન્ડ કરી રહ્યાં છે. જેને ભાજપ તરફથી ઉકેલ લાવવામાં આવશે. મીડિયા માટે શિવસેનાના નિવેદનની ગણતરી થશે, પરંતુ અમારા માટે આ કાંઇ નવુ નથી.
શિવસેનાના ખબર છે કે CM પદ મળશે નહીં
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના હાઇકમાન્ડમાંથી શિવસેનાને સંદેશ મોકલી દેવામાં આવ્યો છે કે મુખ્યમંત્રી પદ મળશે નહીં, તેઓ ડે. સીએમથી જ સંતોષ માને. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે શિવસેનાને પણ ખબર છે કે તેઓને મુખ્યમંત્રી પદ મળશે નહીં, પરંતુ તેઓ મુખ્યમંત્રી પદને લઇને દબાણની રાજનીતિ કરી રહ્યાં છે.
ભાજપ-શિવસેનાને એકબીજા સાથે રહેવું મજબૂરી
સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જે રીતે આક્રમક અંદાજમાં શરદ પવાર ફરી પાવરમાં જોવા મળ્યા, જેના કારણે એક જ વિચારધારા પર રહેલ ભાજપ અને શિવસેનાને એકબીજા સાથે રહેવું મજબૂરી છે. ભાજપના નેતાએ જણાવ્યું કે શિવસેના ભલે વિકલ્પ ખુલ્લા રાખે પરંતુ તેને ખબર છે કે કોંગ્રેસ-NCP ના સહયોગથી સરકાર બનાવવા પર તેમની ઉગ્ર હિન્દુત્વની રાજનીતિ પર અસર થઇ શકે છે.
જો સરકાર પડી જાય તો શું થાય?
સૂત્રોને મળતી જાણકારી મુજબ શિવસેનાની સાથે આવવા પર કોંગ્રેસ-NCP તરફથી ભાજપને કોઇપણ ભોગે સત્તાથી દૂર રાખવા માટે આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી પદ પણ આપી દે. પરંતુ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને ડર છે કે જો અધવચ્ચે આદિત્યના નેતૃત્વવાળી સરકાર પડી જાય તો આ 'રાજકીય ભ્રુણ' હત્યા હશે. આ બધા કારણો વચ્ચે ઉદ્ધવ ઠાકરે સારા મંત્રલાય પોતાની પાસે રાખીને પણ ભાજપ સાથે સરકાર બનાવશે.
NCPથી સંબંધો ખરાબ થયા
પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ સામે પણ વિકલ્પ નથી. કોંગ્રેસની સાથે તો ભાજપને સરકાર બનાવવાનો સવાલ ઉભો થતો નથી. NCP નેતા શરદ પવાર સામે ચૂંટણી સમયે EDએ જે રીતે એકશન લીધી તેને લઇને ભાજપ સાથે સંબંધ ખરાબ થયા. કોંગ્રેસ સાથેના ગઠબંધન પર ચૂંટણી લડનારા NCPને ડર છે કે જો તે ભાજપ સાથે સરકાર બનાવવા જશે તો કેન્દ્રીય એજન્સીઓના ડરના કારણે શરદ પવારે ગઠબંધન કર્યું તેમ લાગશે.