મહારાષ્ટ્રના નાણામંત્રી અને ભાજપ નેતા સુધીર મુનગંટીવાર (Sudhir Mungantiwar)એ શુક્રવારે કહ્યું કે જો રાજ્યમાં સાત નવેમ્બર સુધી નવી સરકાર નથી બનતી તો અહીં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઇ શકે છે. એમણે કહ્યું કે સરકાર ગઠનમાં મુખ્ય અવરોધ શિવસેનાની અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની માંગ છે.
ભાજપ નેતા સુધીર મુનગંટીવારે આપ્યું નિવેદન
સુધીર મુનગંટીવારે કહ્યું, રાજ્યમાં 7 નવેમ્બર સુધીમાં સરકાર ન બની તો રાષ્ટ્રપતિ શાસન લાગૂ થશે
સુધીર મુનગંટીવારે કહ્યું, સરકાર ગઠનમાં મુખ્ય અવરોધ શિવસેનાની અઢી વર્ષ માટે CM પદની માંગ
તેમની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે 21 ઓક્ટોબરે થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના આઠ દિવસ બાદ પણ રાજ્યમાં સરકાર ગઠનને લઇને કોઇ સ્પષ્ટ સ્થિતિ નથી. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 8 નવેમ્બરે સમાપ્ત થશે.
મુનગંટીવારે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે દિવાળી ઉત્સવને કારણે ભાજપ અને શિવસેના વચ્ચે વાતચીતમાં વિલંબ થયો. એક અથવા બે દિવસમાં વાતચીત શરૂ થશે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રના લોકોએ માત્ર એક પાર્ટીને નહીં પરંતુ મહાગઠબંધન (ભાજપ, શિવસેના અન્ય પાર્ટીનું ગઠબંધન)ને જનાદેશ આપ્યો છે. અમારું ગઠબંધન ફેવિકોલ અથવા સિમેન્ટથી પણ મજબૂત છે.
મુનગંટીવારે વિશ્વાસ અપાવતા કહ્યું કે, નવી સરકારનું ગઠન જલ્દી થશે. એમણે કહ્યું કે, નિર્ધારિત સમયની અંદર એક નવી સરકાર બનાવવી પડશે અથવા રાષ્ટ્રપતિએ હસ્તક્ષેપ કરવો પડશે. જો નક્કી સમયસીમાની અંદર સરકાર નથી બનતીતો રાષ્ટ્રપતિ શાસન લાગૂ થશે.
સરકાર ગઠન પર શિવસેના નેતા સંજય રાઉતની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા મુનગંટીવારે કહ્યું, ભાજપાની જેમ શિવસેના પણ જલ્દી જ સરકાર ગઠન કરવા માંગે છે. અમે ગઠબંધન તરીકે ચૂંટણી લડી હતી. અહીં મુદ્દો શિવસેના અથવા ભાજપનો નથી પરંતુ મહારાષ્ટ્રના લોકોનો મુદ્દો છે.