મહારાષ્ટ્રમાં રાજકીય સંગ્રામમાં હવે સંખ્યા બળને લઇને દેશભરની નજર ભાજપ સરકાર કઇ રીતે બહુમત સાબિત કરશે તેના પર છે. જેમાં 13 અપક્ષ અને નાના-નાના પક્ષના 16 ધારાસભ્ય પર છે. જે તરફ અપક્ષ અને નાના-નાના દળનું પલડુ નમશે તેની સરકાર બની શકે છે. જોકે ભાજપ-એનસીપી બળવાખોર નેતા તેમજ શિવસેના-કોંગ્રેસ-એનસીપી દ્વારા તેમની તરફ સમર્થન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ભાજપની ફલોર ટેસ્ટના દિવસે અગ્નિપરીક્ષા
ભાજપનો અપક્ષ અને નાના દળોના સમર્થનનો દાવો
શિવસેના-કોંગ્રેસ-એનસીપીએ પણ સમર્થનનો કર્યો છે દાવો
ભાજપ દાવો કરી રહ્યું છે કે અપક્ષ અને નાના પક્ષોના 15 ધારાસભ્યોનું સમર્થન અમને પ્રાપ્ત છે. આ સમર્થન પર દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને તોડીને સરકાર બનાવી લીધી, જો કે ભાજપની અગ્નિ પરીક્ષા ફલોર ટેસ્ટમાં જ થશે.
ભાજપ પાસે કુલ 105 ધારાસભ્ય છે. જો 15 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળે છે તો ભાજનું સંખ્યાબળ 120 થઇ જાય છે. જો કે એક અનુમાન મુજબ એનસીપીના વધારે ધારાસભ્યો શરદ પવારની સાથે જોવા મળી રહ્યાં છે. એવામાં જો માત્ર 5 ધારાસભ્યો અજિત પવાર સાથે રહે છે તો પણ આ આંકડો 125 સુધી જ પહોંચી શકે છે, જ્યારે બહુમતિ માટે 288 સભ્યોવાળી વિધાનસભામાં 145 ધારાસભ્ય જોઇએ.
ભાજપના સમર્થન કરનારા ધારાસભ્યોમાં અપક્ષના રવિ રાણા, કિશોર જોરગેવાર, ગીતા જૈન, મહેશ બાલ્દી, સંજય શિંદે, રાજેન્દ્ર રાઉત, પાકાશ અવડે અને રાજેન્દ્ર પાટિલ સામેલ છે. આ ઉપરાંત પીડબ્લ્યુ ધારાસભ્ય શ્યામસુંદર શિંદે, રાષ્ટ્રય સમાજ પક્ષના રત્નાકર ગુટ્ટે, રાજેશ પાટિલ, ક્ષિતિજ ઠાકુર, હિતેન્દ્ર ઠાકુર, બહુજ વિકાસ અગાડીના બધા અને જન સુરાજ શક્તિ પાર્ટીના શાહૂવાદી ધારાસભ્ય વિનાય કોરેના સમર્થનનો દાવો કરી શકે છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર એક નજર નાંખીએ તો ભાજપ 105, શિવસેના 56, એનસીપી 54 અને કોંગ્રેસને 44 બેઠક મળી છે. જો શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના 49 (પાંચ અજિત પવાર સાથે) ધારાસભ્યોની ગણતરી કરીએ તો આ આંકડો 149 સુધી પહોંચી જાય છે. શિવસેનાને હાલ 8 અન્ય ધારાસભ્યોનું સમર્થન પણ પ્રાપ્ત છે. આમ આ જાદુઇ આંકડો 157 સુધી વધી શકે છે.
જો બધા અપક્ષ અને નાના દળના ધારસભ્યો જેની સંખ્યા 29 છે, તે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરે તો પણ ભાજપનો જાદુ આંકડો (105+29) 134 હોય છે. અજિત પવારના પાંચ ધારાસભ્યના સમર્થન બાદ આ આંકડો 139 સુધી પહોંચે છે, જે બહુમતિથી 6 આંકડો દૂર છે. ઉલ્લેખનીય છે કે 8 અપક્ષ અને નાના પક્ષના ધારાસભ્યોએ શિવસેનાને સમર્થન આપવાની જાહેરાત કરી ચૂક્યા છે.