બાલા સાહેબની જન્મ જયંતી પર ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે બાલા સાહેબની હિન્દુત્વની વિચારધારા અને વારસાને લઈને જંગ છેડાયો છે. આ દિને રાઠ ઠાકરેએ પક્ષના ધ્વજનો રંગ અને સૂત્ર બદલ્યું છે. હવે તેઓ પોતાની ઈમેજ મરાઠી માનુષથી હિંદુત્વ તરફ લઈ જવા પહેલ કરી છે. ત્યારે ઉદ્ધવે પણ હિંદુત્વની ઈમેજ બચાવવા અયોધ્યા યાત્રાની જાહેરાત કરી છે. જાણો મહારાષ્ટ્રમાં શું થવા જઈ રહ્યું છે...
બાલા ઠાકરેનાં જન્મદિવસ પર મનસ શિવસેના વચ્ચે વારસાનો જંગ
રાજ ઠાકરે મરાઠી માનુષથી હિંદુત્વની રાહ પર
CM ઉદ્ધવ ઠાકરેની સરકરાનાં 100 દિવસ પુરા થતાં અયોધ્યા યાત્રા પર
MNSનો ઝંડો ભગવો એમાં છે શિવાજીની મોહર
શિવસેનાનાં સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેની રાજનીતિક વારસાનાં વારસદાર બનવાની જંગ ગતિ પકડી રહી છે. શિવસેના સાથે સંબંધ તોડનારા રાજ ઠાકરેએ પહેલી વાર બાલા સાહેબની જયંતી પર આખા દિવસ માટેનો કાર્યક્રમ કર્યો છે. રાજ ઠાકરે આ પ્રસંગે પાર્ટીનો ઝંડો પણ બદલ્યો છે. MNSનાં પાંચ રંગને હવે ભગવો રંગ આપવામાં આવ્યો છે. ભગવા ધ્વજ પર શિવાજીની મોહર છે અને તેના પર સંસ્કૃતમાં શ્લોક લખવામાં આવ્યો છે. 'प्रतिपच्चन्द्रलेखेव वर्धिष्णुर्विश्ववन्दिता, शाहसूनो: शिवस्यैषा मुद्रा भद्राय राजते.'
ઉલ્લેખનીય છે કે શિવાજીની પહેલા મરાઠાની મોહર ફારસીમાં હતી. શિવાજીએ તેની સંસ્કૃતિક પ્રવૃત્તિ શરુ કરી હતી. જેનું પાલન તેમનાં વંશજો અને અધિકારીઓએ કર્યું હતું. હવે આ રાહે રાજ ઠાકરે ચાલતા નજર આવી રહ્યાં છે.
ભગવા પર કોઈનાં કોપી રાઈટ્સ નથી
MNS તરફથી થયેલાં મહા અધિવેશન માટે લગાવાયેલા પોસ્ટર ભગવા રંગમાં છે. જેનાં પર મહારાષ્ટ્ર ધર્મ વિશે વિચારો, હિંદુ સ્વરાજ્યનું નિર્ધારણ કરો નામનો નારો લખવામાં આવ્યો છે. પાર્ટી નેતા સંદિપ દેશપાંડેએ કહ્યું કે,‘ભગવા પર કોઈનાં કોપી રાઈટ્સ નથી. સમગ્ર મહારાષ્ટ્ર ભગવું છે અમે ભગવા છીએ. આ નિર્ણયથી નવી ઉર્જા મળશે. રાજકારણમાં નવો વળાંક આવશે નવો વિકલ્પ મળશે. ’ બાલા સાહેબના નિધન બાદ રાજ ઠાકરેએ હંમેશા પોતાને મહારાષ્ટ્રમાં બાલા સાહેબનાં ઉત્તરાધિકારી તરીકે જોયા છે. એ પછી બાલા સાહેબનું વ્યક્તિત્વ હોય, ભાષણની કલા કે લોકોને અભિભૂત કરવાની કળા હોય બાલા સાહેબનાં વિચારોની ઝલક પણ રાજ ઠાકરેમાં જોવા મળે છે.
શું MNSએ ભાજપ સાથે ગઠબંધન કરશે
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા રાજ ઠાકરેએ ભાજપનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત કરી હતી. એ દિવસથી MNS અને ભાજપનું ગઠબંધન થવાનું ચર્ચાઈ રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે શિવસેનાં કોંગ્રેસ સાથે જોડાતા તેની જગ્યા ખાડી પડી છે. આ ખાલી જગ્યાં MNS લેવાનો પ્રયાસ કરી રહી છે. દેશપાંડેએ ભાજપ અને MNSનાં ગઠબંધન અંગે પુછાયેલા સવાલમાં જણાવ્યું હતું કે, ‘હવું આ વિષે કોઈ ચર્ચા થઈ નથી.’
ઉદ્ધવ સરકારનાં 100 દિવસ પુરા થતાં હોઈ તે અયોધ્યા જશે
એવું માનવામાં આવી રહ્યું છે રાજ ઠાકરેને હિંદુત્વની દિશામાં આગળ વધતા જોઈને ઉદ્ધવ ઠાકરેએ અયોદ્યાની યાત્રા કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પોતાની સરકારનાં 100 દિવસ પુરા થવાની ખુશીમાં અયોધ્યા જશે. ભગવાનના આશીર્વાદ લેશે. આ અંગે સંજય રાઉતે ટ્વીટ કરી જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બાલા સાહેબ ઠાકરેની જયંતીની સાંજે શિવસેનાએ કાર્યક્રમ રાખ્યો હતો. જે ઉદ્ધવ ઠાકરેનો બાલા સાહેબ ઠાકરેને કરેલો વાયદાને પુરો કરવાનો કાર્યક્રમ હશે. ઉદ્ધવે બાલા સાહેબને વાયદો કર્યો હતો કે એક દિવસ મહારાષ્ટ્રમાં શિવસેનાનાં સીએમ હશે. જે વાયદો પુરો થયો છે.