દેશમાં કોરોના વાયરસ મહામારી સામે વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યાં બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસે ચિંતા વધારી છે.
મહારાષ્ટ્રમાં મહામારીએ ફરી માથું ઊંચક્યું
કોરોના વાયરસના કેસ રોકાવાનું નામ નથી લઈ રહ્યા
બે રાજ્યોએ દેશમાં વધારી ચિંતા
મહારાષ્ટ્રમાં મહામારીએ માથું ઊંચક્યું
દેશભરમાં જ્યાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના રોકાવાનું નામ નથી લઈ રહ્યો. ધીમે ધીમે કોરોના વાયરસના કેસમાં ઘટાડા બાદ મહારાષ્ટ્ર ફરીવાર દેશમાં કોરોના વાયરસ મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય બની ગયું છે.
બે રાજ્યોએ દેશની ચિંતા વધારી
3365 નવા કેસ સામે આવ્યા બાદ મહારાષ્ટ્રએ કેરળને પણ પાછળ છોડી દીધું છે. નોંધનીય છે કે કેરળમાં પણ પરિસ્થિતિ સારી નથી કારણ કે સોમવારે ત્યાં 2884 કેસ સામે આવ્યા હતા.
કડક પગલાં લેશે સરકાર
બીજી તરફ શનિવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર કહી રહ્યા છે કે જો કોરોના વાયરસના કેસ સતત વધે છે તો અમારે મુખ્યમંત્રી સાથે વાત કરીને કડક પગલાં ભરવા પડશે.
તંત્રમાં ફફડાટ
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાયરસથી 23 મોત પણ થઈ છે. છેલ્લા 6 દિવસથી આ રાજ્યમાં 3 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસના કેસમાં વધારાને જોતાં BMCએ ધારાવીમાં મોબાઈલ ટેસ્ટિંગ વેન તૈનાત કરી છે. તંત્રમાં કોરોના વાયરસના કેસને જોતાં ડર જોવા મળી રહ્યો છે.
કેન્દ્રએ હાલમાં જ મોકલી હતી ટીમ
હાલમાં જ મહારાષ્ટ્ર સરકારે કેરળથી આવતા યાત્રિકો માટે RT-PCR ટેસ્ટ પણ અનિવાર્ય કરી દીધું હતું અને આખા દેશમાં હવે કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની પરિસ્થિતિ ગંભીર દેખાઈ રહી છે. કેન્દ્ર સરકારે પણ બંને રાજ્યોમાં હાઇલેવલ ટીમ મોકલવાનો નિર્ણય લીધો હતો.
કોરોના વાયરસ કેસ અપડેટ
દેશમાં છેલ્લા 24 કલાકમાં 9,121 નવા કેસ સામે આવતા કુલ કેસનો આંક 1,09,25,710 પર પહોંચ્યો છે. જ્યારે 81 દર્દીઓના મોત બાદ અત્યાર સુધી દેશમાં 1,55,813 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે. બીજી તરફ 87,20,822 લોકોને કોરોના વાયરસની રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.