મહારાષ્ટ્રમાં ચૂંટણી સભાને સંબોધતા પીએમ મોદીએ NCPના અધ્યક્ષ શરદ પવારનું નામ લીધા વગર તેમના વાયરલ વીડિયો પર કટાક્ષ કર્યો. શરદ પવારનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ કાર્યકર્તાઓને કોણી મારતા નજરે આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ આ ઘટના પર કટાક્ષ કર્યો હતો.
પવારનું મન સંકુચિત છે એટલે કાર્યકર્તાને હટાવ્યો: મોદી
જીવનભર પવારના ફોટો છપાયા છે પણ મન સંકુચિત છે: મોદી
પોતાના જ પક્ષના લોકોને પ્રેમ નથી કરી શકતા પવાર: મોદી
અકોલાના બાલાપુર વિધાનસભા ક્ષેત્રના પવારના વાયરલ વીડિયો મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોદીએ કહ્યું કે, એક મોટા નેતાનું મન એટલું નાનું છે કે તેઓએ એક કાર્યક્રમમાં એક કાર્યકર્તાને કોણી મારીને હટાવી લીધા. જેથી તેમનો ફોટો સારો આવી શકે.
તેમણે કહ્યું કે, મેં હમણા જ એક વીડિયો જોયો, જેમાં માળા પહેરાવવા માટે તેમની પાર્ટીના નેતાઓ આવ્યા અને લોકોને તે પકડવા માટે ઉભા કર્યા. માળા પહેરાવી તો વચમા એક નાની જગ્યા હતી, જેમાં એક યુવકનું માથું દેખાઇ રહ્યું હતું. ફોટો માટે કાર્યકર્તાને કોણી મારી. હું જોઇને હેરાન થઇ ગયો.
મહત્વની વાત છે કે, શરદ પવારનો એક વીડિયો અકોલાના બાલાપુરના વિધાનસભા વિસ્તારનો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, એક નેતા સોફા પર બેઠા છે અને તેમની પાર્ટીના કેટલાક નેતાઓ તેમની પાસે ઊભા છે.
ત્યારે તેમને માળા પહેરાવવામાં આવે છે ત્યારે એક નવયુવાન નેતા પોતાનું માથુ વચ્ચે લાવે છે તો પવાર તે યુવા નેતાને કોણી મારે છે. આ વીડિયોને લઈને પીએમ મોદીએ કટાક્ષ કર્યો છે.