કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે મહારાષ્ટ્રમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર અને પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. મોદી સરકાર પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ચંદ્ર પર રૉકેટ મોકવાથી મહારાષ્ટ્ર અને દેશના યુવાનોના પેટમાં ભોજન નહીં જાય. અમે અહીં આવ્યા છીએ, તો ચંદ્ર વિશે વાયદો નહીં કરીએ. અમે વાયદો કરીશું, તે અમે પૂરો કરી શકીએ છીએ.
યુવા રોજગાર માગે તો મોદીજી કહે છે ચંદ્ર તરફ જુઓ: રાહુલ
ચંદ્ર પર રોકોટ મોકલ્યું સારી વાત છે: રાહુલ
ISRO કોંગ્રેસે બનાવ્યું છે, રોકેટ 2 દિવસમાં નથી ગયું: રાહુલ
મહારાષ્ટ્રના લાતુરમાં રાહુલ ગાંધીએ એક જાહેરસભા સંબોધી હતી. આ સંબોધનમાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, યુવા રોજગાર માગે તો મોદીજી કહે છે કે ચંદ્ર તરફ જુઓ, ચંદ્ર પર રોકેટ મોકલ્યું છે. એ સારી વાત છે. ઈસરો કોંગ્રેસે બનાવ્યું છે, રોકેટ 2 દિવસમાં નથી ગયું. વર્ષોની મહેનત છે. પણ ક્રેડિટ મોદી લઈ રહ્યાં છે. ચંદ્ર પર રોકેટ મોકલવાથી લોકોના પેટમાં ભોજન નહીં જાય. દેવામાં ડૂબેલો ખેડૂત રાતભર જાગે છે. વિજય માલ્યા અને નિરવ મોદી શાંતિથી સૂવે છે. તો મહારાષ્ટ્રની ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ દરમિયાન રાહુલ ગાંધીએ મીડિયાને પણ આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે મીડિયા સૌથી મોટા ઉદ્યોગપતિઓની છે. અત્યારે તો નુકસાન શરૂ થયું છે અને આવનાર 6-7 મહિનામાં આનો બહુ ખરાબ અસર થશે.