મહારાષ્ટ્રના અકોલામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલીને સંબોધન કરતાં કહ્યું પહેલા કરતાં વધુ મજબૂત સરકાર બનાવવા માટે તમારી પાસે આશીર્વાદ લેવા આવ્યો છું. પીએમ મોદીએ કહ્યું કે આ વીર સાવરકરના જ સંસ્કાર છે કે રાષ્ટ્રવાદને અમે રાષ્ટ્ર નિર્માણનો આધાર માનીએ છીએ.
પીએમ મોદીએ મહારાષ્ટ્રના અકોલામાં સંબોધન કર્યું
પીએમ મોદીએ કલમ 370ને લઇને વિપક્ષને ઘેર્યો
370 પર સવાલ ઉઠાવનારાઓની પીએમ મોદીએ નિંદા કરી
વિપક્ષે બાબા સાહેબનું કર્યું અપમાન
પીએમ મોદીએ વિપક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું કે બીજી તરફ એ લોકો છે જેમણે બાબા સાહેબનું ડગલને પગલે અપમાન કર્યું, દાયકા સુધી તેમને ભારત રત્નથી દૂર રાખ્યા. જેમણે વીર સાવરકરનું પણ અપમાન કર્યું હતું.
PM Narendra Modi at an election rally in Akola, #Maharashtra: Yeh Veer Savarkar ke hi sanskar hain jo rashtrawad ko humnein rashtra nirman ke mool mein rakha hai. pic.twitter.com/4u4cy7PtNv
મહારાષ્ટ્ર અને જમ્મૂ-કાશ્મીર સાથે શું સંબંધ? પીએમ મોદીએ આપ્યો આ જવાબ
કલમ 370 પર ચર્ચા કરતા પીએમ મોદીએ કહ્યું કે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં બાબા સાહેબ આંબેડકરના સંવિધનને સંપૂર્ણ લાગૂ ન કરવાના પ્રયત્નો પાછળ આવા લોકોની દુર્ભાવના છે. આ લોકો કહી રહ્યાં છે કે મહારાષ્ટ્ર ચૂંટણી સાથે કલમ 370ને શુ લેવા દેવા? મહારાષ્ટ્રને જમ્મૂ-કાશ્મીર સાથે શું સંબંધ છે.
PM Modi in Akola: For political gains, some are openly saying that Article 370 has nothing to do in #MaharashtraAssemblyPolls, that J&K has nothing to do with Maharashtra. I want to tell such people that J&K and its people are also sons of Maa Bharti only. #Maharashtrapic.twitter.com/wWgtAptb4B
મહારાષ્ટ્રને કાશ્મીર સાથે શું સંબંધને લઇને પૂછવામાં આવતા પીએમ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના ઘણા જવાનો કાશ્મીર જાય છે, પોતાની શહાદત વહોરે છે, એવામાં કાશ્મીર સાથે મહારાષ્ટ્રના સંબંધ પૂછનારા લોકોને પોતાની સોચ અને નિવેદન પર શરમ આવી જોઇએ. આવા નેતાઓના નિવેદનને લઇને પીએમ મોદીએ ડૂબી મરો, ડૂબી મરો, ડૂબી મરો કહી નિંદા કરી.