મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામને સ્વીકારતા એનસીપીના સુપ્રીમો શરદ પવારે એલાન કર્યું છે કે તે શિવસેના સાથે નહીં જાય. શરદ પવારે કહ્યું કે એનસીપી, કોંગ્રેસ અને બીજા સહયોગી મળીને આગળની રણનીતિ નક્કી કરશે. શરદ પવારે કહ્યું કે તમામ લોકોએ તેમનો સાથ આપ્યો છે અને તેમણે જનાદેશને વિનમ્રતાથી સ્વીકાર કરે છે.
શરદ પવારે કહ્યું-એનસીપી, કોંગ્રેસ અને બીજા સહયોગી મળીને આગળની રણનીતિ નક્કી કરશે
કોંગ્રેસ-એનસીપી ગઠબંધનના તમામ સભ્યોને પોતાનુ સર્વશ્રેષ્ઠ આપ્યું : શરદ પવાર
શરદ પવારે કહ્યું, વિપક્ષે તનતોડ મહેનત કરી અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધનના તમામ સભ્યોને પોતાનુ સર્વશ્રેષ્ઠ આપ્યું. હું તમામનો આભાર વ્યક્ત કરુ છું. સત્તા આવતી-જતી રહે છે પરંતુ સિદ્ધાંતો પર પ્રતિબદ્ધ રહેવું ખુબ જ જરૂરી છે. અમે જનતાનો અમારા પર પ્રેમ માટે આભાર વ્યક્ત કરીએ છીએ.
પાર્ટી બદલનારાઓ પર સાધ્યુ નિશાન
શરદ પવારે પાર્ટી બદલનારાઓ પર નિશાન સાધતા કહ્યું, એક જરૂરી વસ્તુ જોવા મળી કે જે લોકો અમને છોડીને ચાલ્યા ગયા તેમને જનતાએ નકારી દીધા. પાર્ટી બદલવી તેમના પક્ષમાં ન રહ્યું જેમણે અમને છોડી દીધા. એમણે કહ્યું, અમે જલ્દી જ અમારા સમર્થકોની સાથે ચૂંટણી વિશે ચર્ચા કરવા માટે બેઠક કરીશું અને ભવિષ્યની તૈયારી પર કામ કરીશું. અમે અમારી ક્ષમતા અનુસાર સર્વશ્રેષ્ઠ આપ્યું છે.
220ના દાવાને જનતાએ સ્વીકાર ન કર્યો : શરદ પવાર
એનસીપી-કોંગ્રેસના ગઠબંધન પર શરદ પવારે કહ્યું, એનસીપી, કોંગ્રેસ અને બીજી સહયોગી પાર્ટી મળીને આગળની રણનીતી નક્કી કરશે. અમે શિવસેનાની સાથે નહીં જઇએ. શરદ પવારે કહ્યું, તમામ લોકોએ અમારો સાથ આપ્યો છે. અમે જનાદેશનો વિનમ્રતાથી સ્વીકાર કરીએ છીએ. બીજેપી-શિવસેનાને લઇને શરદ પવારે કહ્યું કે જનતાએ 220 બેઠકોના દાવાને ફગાવી દીધો છે.
ચૂંટણીની મર્યાદાને તોડવામાં આવી
શરદ પવારે કહ્યું કે આ વખતે ચૂંટણીની મર્યાદાને તોડવામાં આવી. એનસીપી ચીફે કહ્યું કે કોંગ્રેસ-એનસીપી વર્કર્સે સાથે મળીને કામ કર્યું. એમણે આગળ કહ્યું, આ જે માહોલ પેદા કરવામાં આવ્યો હતો કે 220થી આગળ જઇશું. તેને જનતાએ ફગાવી દીધો છે. તેથી પણ આગળ વધવાની અમારી કોશિશ હતી. પરંતુ પ્રતિકુળ પરિસ્થિતિઓમાં પણ અહીં સુધી પહોંચવાની અમને ખુશી છે.