મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમજ આદિત્ય ઠાકરે પણ હાજર હાજર રહ્યા હતા.
ભાજપ અને શિવસેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ
ભાજપ-શિવસેના ભાઇ-ભાઇ : ઉદ્ધવ ઠાકરે
ઉલ્લેખનીય છે કે, આ પ્રેસ કોન્ફરન્સમાં ફડણવીસે આદિત્ય ઠાકરેને અભિનંદન આપતાં કહ્યું હતું કે તેઓ સૌથી વધુ મતોથી જીતશે. તેમણે કહ્યું કે ગઠબંધન માટે સૌએ સમાધાન કરવું પડશે, આ જોડાણ માટે પણ સૌએ સમાધાન કર્યું છે.
Maharashtra Chief Minister Devendra Fadnavis: I am confident the Aditya Thackeray will win by a very huge margin in the elections and we will see him with us in the assembly. https://t.co/J63ZQNvqvCpic.twitter.com/HOGciJH2L7
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે કેટલાક લોકો વિચારી રહ્યા હતા કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાનું જોડાણ નહીં થાય. આ પછી, પત્રકાર પરિષદને સંબોધન કરતી વખતે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ-શિવસેનાના જોડાણ અંગે નિવેદન આપ્યું હતું.
ભાજપ-શિવસેના ભાઇ-ભાઇ : ઉદ્વવ ઠાકરે
Shiv Sena Chief Uddhav Thackeray on 'Aditya Thackeray for CM demands': The first step in politics doesn’t mean that you have to become the Chief Minister of this state. He has just entered politics, this is just the beginning. pic.twitter.com/8xNqfEdDt4
તેમણે કહ્યું કે, ભાજપ અને શિવસેના ભાઈ-ભાઇ છે. આ જોડાણમાં મોટા ભાઈ અને નાના ભાઈ જેવું કંઈ નથી. મહારાષ્ટ્રમાં સુધારણા અને લાભ માટે કામ કરવું છે. તેમણે કહ્યું કે પહેલા ભાજપ-શિવસેના જોડાણ અંગે એક સવાલ હતો.