મહારાષ્ટ્ર અને હરિયાણા બેઠકના પરિણામો જોતાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે પોતાના આજના કાર્યક્રમ રદ્દ કર્યાં છે. જો કે સૂત્રોને મળતી માહિતી મુજબ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને દિલ્હીનું તેડુ આવ્યું છે.
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી પર વારંવાર બદલાઇ રહેલા ઘટનાક્રમ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નજર રાખી રહ્યાં છે. અમિત શાહ આજરોજ ગ્રેટર નોઇડા ખાતે ITBPના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભા ચૂંટણીના પરિણામો બદલાઇ રહેલા ઘટનાક્રમને ધ્યાનમાં લઇને આજના કાર્યક્રમો રદ્દ કર્યા છે.
હરિયાણામાં ભાજપ સ્પષ્ટ બહુમતિના આંકડાથી દૂર જોવા મળી રહ્યું છે. જેને લઇને રાજ્યમાં સરકાર બનાવવા ભાજપે કવાયત હાથ ધરી છે. જેમાં ભાજપ દ્વારા જેજેપી સાથે સંપર્ક માટે અકાલીદળનો સંપર્ક સાધ્યો છે. જ્યારે બીજી તરફ હરિયાણામાં સરકાર બનાવવા જેજેપીએ કોંગ્રેસ સમક્ષ મુખ્યમંત્રી પદની ઓફર મુકી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
જ્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ ભાજપ બહુમતિનો આંકડો પાર કરતું જોવા મળી રહ્યું નથી. મહારાષ્ટ્રમાં પણ શિવસેનાના ગઠબંધન સાથે ભાજપ બહુમતિથી સરકાર બનાવા જઇ રહ્યું છે. ત્યારે કોઇપણ રાજ્યમાં ભાજપ પોતાની સરકાર બનાવાથી વંચિત જોવા મળી રહ્યું છે.