નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા અને મહારાષ્ટ્રના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મનાવવાના તમામ પ્રયત્નો ફેલ થતા જઇ રહ્યા છે. એનસીપીએ ખુબ મનાવ્યા છતા અજિત પવાર પરત આવવા તૈયાર નથી.
મારું સમર્થન શરદ પવાર અને NCPનેઃ શંકરસિંહ
અજીત પવાર પણ પાછા NCPમાં આવી શકેઃ શંકરસિંહ
આજે રાજ્યના NCP કાર્યકર્તાઓને મળવા માટે બોલાવ્યા છેઃ શંકરસિંહ
મહારાષ્ટ્ર મુદ્દે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું હતું કે મારું સમર્થન શરદ પવાર અને NCPને છે. અજિત પવાર પણ NCPમાં પાછા આવી શકે છે. આજે NCP કાર્યકર્તાઓને મળવા માટે બોલાવ્યા છે. શંકરસિંહે કહ્યું કે ભાજપે મહારાષ્ટ્રમાં ગેરબંધારણીય કામ કર્યું છે. આજે અમે ઠરાવ પસાર કરી ભાજપના વિરુદ્ધમાં કાર્યક્રમો કરીશું.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અજિત પવાર પોતાના નિર્ણય પર અડગ છે. આને લઇને એનસીપીના ધારાસભ્ય દળના નેતા જયંત પાટિલે અજિત પવાર સાથે મુલાકાત કરી અને તેમને મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઇ સફળતા ન મળી. અજિત પવારનું કહેવું છે કે એનસીપીનું હિત ભાજપ સાથે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ રહેવામાં જ છે.
મહારાષ્ટ્રના ડે.સીએમ અજીત પવારનું મહત્વનું ટ્વીટ
અજીત પવારે લખ્યું કે, હું NCPમાં છું અને રહીશ. શરદ પવાર સાહેબ જ અમારા નેતા છે. ભાજપ-NCPનું ગઠબંધનથી 5 વર્ષ સ્થિર સરકાર આપીશું. ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, બધુ ઠીક છે. થોડી શાંતિ જાળવી રાખવી જરૂરી છે. સમર્થન માટે તમામનો આભાર.