મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રિમંડળનો વિસ્તાર થયા બાદ બગાવતના સૂર સામે આવી રહ્યા છે. હવે જાલના બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય કૈલાશ ગોરંટ્યાલે રાજીનામું આપ્યું છે. કેબિનેટમાં સ્થાન ન મળવાના કારણે નારાજ ગોરંટ્યાલે કહ્યું કે મેં પાર્ટી અધ્યક્ષને રાજીનામું આપ્યું છે. હું ત્રીજી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું અને સાથે મેં મારા લોકો માટે કામ કર્યું છે છતાં મને મંત્રી બનાવાયો નથી.
મહાવિકાસ અઘાડીને મોટો ઝટકો
કોંગ્રેસના કૈલાશ ગોરંટ્યાલે આપ્યું રાજીનામું
કેબિનેટમાં સ્થાન ન મળવાના કારણે નારાજ છે ગોરંટ્યાલ
Jalna Congress MLA Kailash Gorantyal: My supporters and I have decided to submit our resignation letters to the state party president. I have been elected as the MLA for the third time & I work for my people. Still I haven't been made a minister. #Maharashtrapic.twitter.com/q6CKhQJryE
આ અગાઉ શિવસેનાના ધારાસભ્ય અબ્દુલ સત્તારની નારાજગીના સમાચાર આવ્યા હતા. દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેઓએ રાજીનામું આપ્યું છે પણ સત્તારે પોતે મીડિયા સામે આવીને કહ્યું હતું કે મેં રાજીનામું આપ્યું નથી. હું મુખ્યમંત્રી સાથે વાત કરીશ અને તેમના નિયમનું પાલન કરીશ.
Shiv Sena's Abdul Sattar: I have not resigned. I am going to talk to Chief Minister Uddhav Thackeray at Matoshree. After that, whatever decision will be taken by the CM, we will accept it pic.twitter.com/RAe5Hd74kG