મહારાષ્ટ્રના જલગાંવમાં ગમખ્વાર અકસ્માતમાં 15 શ્રમિકોના મૃત્યું થયા છે.
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રક પલટાતા 15 મજૂરોના મૃત્યુ
6 મહિલા સહિત 16 મજૂરોના થયા મૃત્યુ
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા
પ્રાપ્ત મળતી વિગત અનુસાર મહારાષ્ટ્રના જલગાવમાં રોડ અકસ્માતમાં 15 શ્રમિકોના ઘટનાસ્થળે મૃત્યું થયાંના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.
Maharashtra: 15 people died, two injured after a vehicle overturned near Kingaon village in Yawal taluka of Jalgaon district last night. More details awaited.
મહારાષ્ટ્રના જલગાવમાં સોમવારની વહેલી સવારે એક રોડ અકસ્માતમાં 15 શ્રમિકોના મૃત્યું થયા છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર જલગાવના યાવલની પાસે પપૈયાથી ભરેલો ટ્રક પલટી જતા આ દૂર્ઘટના સર્જાય છે.
પપૈયાથી ભરેલો ટ્રક ધૂલેથી રાવેલ તરફ જઇ રહ્યો હતો. આ દૂર્ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. હાલમાં મૃતદેહોને બહાર કાઢવાનું કામ શરુ કરવામાં આવ્યું છે. આ દૂર્ઘટના કેવી રીતે સર્જાય તે અંગે કોઇ અહેવાલ મળ્યાં નથી.
પ્રાપ્ત મળતી જાણકારી મુજબ જલગાવથી સોમવારે સવારે પપૈયાથી ભરેલ એક ટ્રક રાવેલ તરફ જવા નીકળ્યો હતો. હજુ ટ્રક યાવલની પાસે પહોંચ્યો હતો ત્યા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક પલટી ગયો.
ટ્રક પલટી જવાના જોરદાર અવાજના કારણે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યાં હતા. દૂર્ઘટના જોનાર વ્યક્તિઓએ કહ્યું કે ટ્રકમાં કેટલાંક શ્રમિકો પણ બેઠા હતા. દૂર્ઘટના એટલી ભયંકર હતી કે ટ્રકમાં હાજર બધા 15 શ્રમિકોના ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું.