મહારાષ્ટ્રના પાલઘરમાં ગ્રામજનોએ પોલીસની સામે મૉબ લિન્ચિંગની ઘટનાને અંજામ આપી દીધો છે. ભગવાધારી ત્રણ સાધુઓની માર મારીને હત્યા કરી દેવાઇ છે. સાધુઓને બચાવવા જતા પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે.
મહારાષ્ટ્રના પાલઘરમાં 17 એપ્રિલે સાધુઓની હત્યા કરી દેવાઇ હતી. મહારાષ્ટ્ર પોલીસ મુજબ 17 એપ્રિલે ચોરીની શકાએ હત્યા કરી દેવાઇ હતી. ગ્રામીણની વિરુદ્ધ એફઆઇઆર નોંધી લેવામાં આવી છે. 110 લોકોની ધરપકડ કરાઇ છે. જેમાંથી 101ને જેલ મોકલવામાં આવ્યા છે. જ્યારે 9 સગીરો સગીરોને બાળ સુધાર ગૃહ મોકલાયા છે.
મહારાષ્ટ્રના પાલઘરમાં ગ્રામજનોએ પોલીસની સામે મૉબ લિન્ચિંગની ઘટનાને અંજામ આપી દીધો છે. ભગવાધારી ત્રણ સાધુઓની માર મારીને હત્યા કરી દેવાઇ છે. સાધુઓને બચાવવા જતા પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે.
મહારાષ્ટ્રના પાલઘરમાં 17 એપ્રિલે સાધુઓની હત્યા કરી દેવાઇ હતી. મહારાષ્ટ્ર પોલીસ મુજબ 17 એપ્રિલે ચોરીની શંકાએ હત્યા કરી દેવાઇ હતી. ગ્રામીણની વિરુદ્ધ એફઆઇઆર નોંધી લેવામાં આવી છે. 110 લોકોની ધરપકડ કરાઇ છે. જેમાંથી 101ને જેલ મોકલવામાં આવ્યા છે. જ્યારે 9 સગીરો સગીરોને બાળ સુધાર ગૃહ મોકલાયા છે. જો કે, આ ઘટનાને પગલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ અને આ મામલે જે કાર્યવાહી કરવામાં આવી છે તે અંગેની એક ટ્વીટ પણ કરી હતી.
The Palghar incident has been acted upon. The police has arrested all those accused who attacked the 2 sadhus, 1 driver and the police personnel, on the day of the crime itself.
નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસ કર્મચારી ઘરની અંદર જઇ સાધુને લાવે છે અને ત્યારે ગ્રામજનો સાધુ પર હુમલો કરીને પોલીસની સામે જ તેમની હત્યા કરી હતી.
આ ઘટનાને પગલે મામલો ગરમાયો હતો અને અન્ય સાધુ-સંતોમાં પણ રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું. સ્વામી અવધેશાનંદજીએ આ મામલે ટ્વીટ કરીને ઘટનાની ટીકા કરી હતી.