મહારાષ્ટ્રમાં કોરોનાની નવી લહેર શરુ થઈ હોવાની સંભાવના છે. આજે એક દિવસમાં કોરોનાના 2,946 કેસ નોંધાતા ચિંતા વધી છે.
ભારતમાં કોરોનાની નવી લહેરની પૂરી શક્યતા
મહારાષ્ટ્રમાં એક દિવસમાં 2,946 લોકોને કોરોના
દેશમાં પણ એક દિવસના કોરોના કેસ 8000થી વધુ
ભારતમાં કોરોના જોર પકડતો જાય છે અને મહારાષ્ટ્ર તેનો સૌથી વધારે ભોગ બન્યું છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાના નવા 2946 કેસ નોંધાયા છે અને જ્યારે 2 લોકોના મોત થયા છે. મુંબઈવાસીઓના જીવ અધ્ધરતાલ થયા છે. આજે રાજધાની મુંબઈમાં 1803 નવા કેસ નોંધાયા છે.
Maharashtra | 2,946 new COVID cases were reported today in the state while 1,432 patients were discharged. With two Covid-19 deaths today, active cases stood at 16,370 in the state pic.twitter.com/wtZ8WoJMGl
એક દિવસમાં 2946 કેસ આવવા ચિંતાનો વિષય
એક દિવસમાં 2946 કેસ આવવાને કારણે સરકારની ચિંતા વધી અને સરકાર કોરોનાના નિયમોને કડક બનાવવાની વિચારણા કરી રહી છે.
Delhi reports 735 new Covid-19 cases, 537 recoveries, and 03 death, in the last 24 hours. The Cumulative Positivity rate in the capital stands at 4.94% pic.twitter.com/1bQrg9zQas
દિલ્હીમાં કોરોનાના નવા 735 કેસ, 3 લોકોના મોત
બીજી તરફ રાજધાની દિલ્હીમાં પણ ધીમી ગતિએ કોરોના કેસ વધી રહ્યાં છે, છેલ્લા ચોવીસ કલાકમાં દિલ્હીના કોરોનાના 735 કેસ નોંધાયા હતા તથા 3 લોકોના મોત થયા હતા.
મુંબઈમાં બેકાબુ થયો કોરોના, એક દિવસમાં 1803 લોકો સંક્રમિત
દેશની આર્થિક રાજધાની અને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક દિવસમાં કોરોનાના 1803 કેસ નોંધાયા છે તથા 2 લોકોના મોત થયા છે.
Maharashtra | Mumbai reports 1,803 new Covid cases today. With two deaths in the city, 959 patients recovered in last 24 hrs. Active cases stand at 10,889 till now pic.twitter.com/hASJV3ukjz
કોરોના સંક્રમણમાં ફરી એકવાર મોટો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 8582 નવા દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે આ દરમિયાન 4 દર્દીઓના મોત થયા છે. કોરોનાને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, દેશમાં કોરોનાની ચોથી લહેરની શરૂઆત થઈ ચુકી છે. જો લોકો સાવધાની નહીં રાખે તો, મુશ્કેલી આવશે. માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવું પડશે. વેક્સિનનો પ્રિકોશન ડોઝ લેવા માટે પણ સૂચના આપી છે. ઉપરાંત બાળકોનું જલ્દી વેક્સિનેશન કરાવવા માટે પણ ભલામણ કરી છે.
દેશમાં કોરોનાની લેટેસ્ટ અપડેટ
કોરોના સંક્રમણમાં ફરી એકવાર મોટો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 8582 નવા દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે આ દરમિયાન 4 દર્દીઓના મોત થયા છે. આ સતત બીજો દિવસ છે જ્યારે એક દિવસમાં 8 હજારથી વધુ કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા 44,553 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા એક દિવસમાં 4,435 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. બીજી તરફ, મુંબઈના આંકડા ડરાવી દે તેવા છે. અહીં એક્ટિવ દર્દીઓની સંખ્યા 10 હજારને વટાવી ગઈ છે. શનિવારે, દિલ્હીમાં કોવિડ -19 ના 795 નવા કેસ નોંધાયા અને ચેપ દર વધીને 4.11 ટકા થયો. વિભાગના સત્તાવાર ડેટા અનુસાર, અગાઉ 13 મેના રોજ, દિલ્હીમાં 899 નવા કેસ નોંધાયા હતા અને ચાર લોકોના મોત થયા હતા, જ્યારે પોઝિટિવિટી રેટ 3.34 ટકા હતો.ગુરુવાર અને શુક્રવાર બંને દિવસે રાજધાનીમાં દૈનિક કેસ 600 થી વધુ હતા અને પોઝિટિવીટી રેટ ત્રણ ટકાથી વધુ હતો.
પૂણેના 37 વર્ષીય પુરુષને BA.5 સબ-વેરિઅન્ટથી ચેપ
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 12 મેના રોજ ઈંગ્લેન્ડથી પરત આવેલા પુણેના 37 વર્ષીય પુરુષને BA.5 સબ-વેરિઅન્ટથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં ચેપના 3,081 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા ચાર મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં શનિવાર સુધીમાં કુલ 79,07,631 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જેમાંથી 1,47,868 લોકોના મોત થયા છે.