maharashtra 12000 farmers suicide case happened between 2015 2018 minister officially states in written reply may create problem in upcoming assembly election
આત્મહત્યા /
મહારાષ્ટ્ર સરકારે સ્વીકાર્યું- 12000 ખેડૂતોએ કરી આત્મહત્યા, BJP માટે ગંભીર સંકટ
Team VTV12:39 PM, 22 Jun 19
| Updated: 12:42 PM, 22 Jun 19
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાવાના છે. પરંતુ પરિસ્થિતિ એવી તો પ્રતિકૂળ છે કે બીજેપી અને શિવસેનાને જીતવું સરળ બની રહેશે નહીં. દુષ્કાળની થપાટ અને ખેડૂતોની દયનીય સ્થિતિએ પરિસ્થિતિ પ્રતિકૂળ બનાવી નાંખી છે. પ્રદેશના પુનર્વાસ મંત્રી સુભાષ દેશમુખે એક સવાલના લેખિત જવાબમાં માન્યું છે કે 2015થી લઇને 2018 વચ્ચે 12,000 ખેડુતોએ આત્મહત્યા કરી છે. ત્રણ વર્ષમાં આટલા મોટા પ્રમાણમાં આત્મહત્યાનો આ આંકડો હચમચાવી નાંખનાર છે.
આત્મહત્યાની વધતી સંખ્યા માટે અગાઉના પાક નિષ્ફળ જવા, દુષ્કાળનો માર અ
ને સિંચાઇ માટે પાણીની અછત, બજારમાં પાકનું યોગ્ય મૂલ્ય ન મળવું અને ઓલાવૃષ્ટિથી પાકને નુકશાન જેવા મુખ્ય કારણો બતાવવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે પોતાના હાલના બજેટમાં સિંચાઇ પર ખર્ચ માટે 12000 કરોડ રૂપિયા ખર્ચ કરવા સૂચવ્યું હતું. ઉપરાંત માઇક્રો લેવલ પર સિંચાઇ માટે 350 કરોડ રૂપિયા અલગ થી ખર્ચ કરવામાં આવશે.
પરંતુ આ તમામ કવાયત વચ્ચે આવનાર વિધાનસભા ચૂંટણી બીજેપી માટે પડકાર જનક બની રહેશે. કેમકે, ગત વિધાનસભા ચૂંટણી ખેડૂતોની આત્મહત્યા અને બદતર કૃષિ ઉપર લડવામાં આવી હતી. હવે ત્રણ મહીના બાકી છે ચુંટણીને, એવામાં વિપક્ષનો આરોપ છે કે પ્રદેશમાં બીજેપી-શિવસેનાની સરકારે કંઇ કર્યું નથી.
આમ તો, અલગ-અલગ સરકારે દયનીય કૃષિ વ્યવસ્થાને સારી બનાવવા માટે ખેડૂત દેવામાફીનું એલાન કરે છે. પરંતુ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના આકંડા કંઇક અલગ જ વાત કહી રહ્યા છે. સત્તાવાર ડાટા મુજબ, કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી આત્મહત્યા મામલામાં મોટો ભાગ ખેતમજુરો (ખેતરમાં કામ કરનાર મજૂર) નો છે.
લોકસભામાં NCRBના આકંડાના હવાલા દર્શાવી બતાવામાં આવ્યું છે કે, 2014થી 2016 વચ્ચે 45 ટકા ખેત મજુરોએ આત્મહત્યા કરી છે. રાજ્યો પ્રમાણે વાત કરીએ તો તમિલનાડુ, ગુજરાત, કેરળ અને રાજસ્થાનમાં ખેડૂતોની તુલનામાં ખેત મજૂરોએ વધારે સંખ્યામાં આત્મહત્યાઓ કરી છે.