મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં લગભગ 112 લોકોના મોત થયા છે, જ્યારે 99 લોકો ગમ થયા છે. જ્યારે 1.35 લાખ લોકો ઘર વિહોણા થયા.
વરસાદ અને ભૂસ્ખલનના કારણે 112 લોકોના મોત થયા
99 લોકો ગુમ છે
1.35 લાખ લોકોને પુરગ્રસ્ત વિસ્તારોમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા
વરસાદ અને ભૂસ્ખલનના કારણે 112 લોકોના મોત થયા
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી લગભગ 112 લોકોના મોત થયા છે, જ્યારે 99 લોકો ગુમ છે. રાહત અને પુનવાર્સ વિભાગે શનિવારે રાતે આ જાણકારી આપતા કહ્યું કે કાટમાળમાંથી લોકોને કાઢવાનું કામ સતત જારી છે. રાજ્ય સરકારના આંકડા મુજબ અત્યાર સુધી 1 લાખ 35 હજાર લોકોને પુરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
1.35 લાખ લોકોને પુરગ્રસ્ત વિસ્તારોમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા
રાહત અને પુનર્વસન વિભાગે જણાવ્યું કે 24 જુલાઈ રાતે 9.30 વાગ્યા સુધી 1.35 લાખ લોકોને પુરગ્રસ્ત વિસ્તારોમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. 112 લોકોના જીવ ગયા છે. તો 3221 પશુઓના મોત થઈ ચૂક્યા છે. 53 લોકો ઘાયલ થયા છે. તો 99 લોકો હજું પણ ગુમ છે. સાંગલી અને રાયગઢ જેવા જિલ્લામાં વરસાદ અને ભૂસ્ખલને ભારે નુકસાન પહોંચાડ્યું છે. સાંગલી જિલ્લાના અનેક વિસ્તાર પાણીમાં ડૂબી ગયા છે. રસ્તા અને ખેતરો પર પાણી ભરાયા છે. સ્થાનીક લોકો સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જળસ્તર વધવા પર લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
અમે અહીં બેસીને નજર રાખી રહ્યા છીએ કે પાણી સમડોલીમાં ન પ્રવેશે
સ્થાનીક યુવક સુમિતે કહ્યું કે સ્થિતિ સારી નથી. પાણીમાં હવે સમડોલી તરફ ઘટી રહ્યું છે. અનેક લોકો ફસાયેલા છે. જળ સપાટી પર નજર રાખનાર અન્ય ગ્રામીણ પ્રમોદે જણાવ્યું કે અમે અહીં બેસીને નજર રાખી રહ્યા છીએ કે પાણી સમડોલીમાં ન પ્રવેશે. જો પાણી વધી જાય છે તો અમારો ડેલી રુટ બંધ થઈ જશે. સાંગલી જિલ્લાના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે આસપાસના ગામના લોકોએ સમડોલીમાં શરણ લીધી છે.
ગુમ લોકોની શોધ યુદ્ધ સ્તર પર કરવામાં આવી રહી છે
આ પહેલા શનિવારે એનડીઆરએફે કહ્યું કે મહારાષ્ટ્રના રત્નાગિરી, રાયગઢ અને સાતારા જેવા જિલ્લામાં ગુમ લોકોની શોધ યુદ્ધ સ્તર પર કરવામાં આવી રહી છે. એનડીઆરએફે જણાવ્યું કે 26 ટીમે મુંબઈ, થાણે, રત્નાગિરી, પાલઘર, રાયગઢ, સાંગલી, સિંધુદુર્ગ નગર અને કોલ્હાપરમાં બચાવ કાર્યમાં જોડાઈ છે. કોલક્તા અને વડોદરાથી વધુ 8 ટીમોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે.