દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે એક જ દિવસમાં સૌથી વધારે રસીકરણનો રેકોર્ડ તુટ્યો છે.
દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના 312 નવા મામલા સામે આવ્યા
મહારાષ્ટ્રમાં એક દિવસમાં 10, 216 નવા કેસ સામે આવ્યા
આ મૂળ સ્વરુપ પર કામ કરનારી એન્ટીબોર્ડીને બેઅસર કરી શકે
દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના 312 નવા મામલા સામે આવ્યા
કેન્દ્રની સાથે રાજ્યની સરકારે પણ કોરોના રસીકરણ પર ખાસ ભાર મુક્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે એક જ દિવસમાં સૌથી વધારે રસીકરણનો રેકોર્ડ તુટ્યો છે. જો કે આવનારી મહામારીના આંકડા એ સાબિત કરે છે કે રસી આવ્યા બાદ લોકોમાં બેદરકારી વધી છે. મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં સંક્રમણના મામલા વધવા લાગ્યા છે. દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના 312 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન 3 દર્દીઓના મોત થયા છે. અહીં પોજિટિવિટી રેટ પણ 0.53 ટકા પહોંચી ગયો છે. રાજધાનીમાં હજું સુધી 6,40, 494 કેસ આવી ચૂક્યા છે. જ્યારે આ સારવાર દરમિયાન 6, 27, 797 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. ત્યારે મહામારીથી 10, 918 લોકોના જીવ ગયા છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં 10, 216 નવા કેસ સામે આવ્યા
જો કે મહારાષ્ટ્ર આ મહામારીથી સૌથી વધારે અસરગ્રસ્ત છે. અહીં એક દિવસમાં 10, 216 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન સંક્રમણથી 53 દર્દીઓના મોત થયા છે. જો કે 6467 લોકો આજે સ્વસ્થ થઈ ઘરે પાછા પણ ફર્યા છે. રાજ્યમાં હજું સુધી 21, 98, 399 કેસ સામે આવી ચૂક્યા છે. તેમાં 20, 55, 951 લોકો સારવાર કરાવીને ઘરે પાછા ફરી ચૂક્યા છે. જ્યારે 52, 393 લોકોના જીવ ગયા છે. મહારાષ્ટ્રમાં હજું પણ 88, 838 સક્રિય મામલા છે.
આ મૂળ સ્વરુપ પર કામ કરનારી એન્ટીબોર્ડીને બેઅસર કરી શકે
કોરોના વાયરસના નવા સ્વરુપ પર કરવામાં આવેલા અધ્યયન અનુસાર કોવિડ 19 એન્ટીબોર્ડી પર આધારિત ઔષધિયો અને અત્યાર સુધી વિકસિત રસી નવા સ્વરુપ પર ઓછી અસરકારક હોઈ શકે છે. કેમકે વાયરસનુ નવું સ્વરુપ બહું ઝડપથી ફેલાઈ રહ્યુ છે. આ અધ્યયન ‘નેચર મેડિસિન’પત્રિકામાં પ્રકાશિત થયું છે. અધ્યનયમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના 3 નવા સ્વરુપ વાયરસના મૂળ સ્વરુપ પર કામ કરનારી એન્ટીબોર્ડીને બેઅસર કરી શકે છે.
શુદ્ધ એન્ટીબોર્ડીની જરુર હોય છે
અમેરિકાના સેન્ટ લુઈસમાં વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનથી રિસર્ચરો સહિત અનેક વૈજ્ઞાનિકોના અનુસાર ચીનના વુહાનથી આવેલા મુળ વાયરસની સરખામણીમાં કોરોના વાયરસના નવા સ્વરૂપને બેઅસર કરવા માટે રસીકરણા સ્વાભાવિક સંક્રમણની બાદ બનેલા વધારે અધિક એન્ટીબોર્ડી અથવા દવાના રુપમાં ઉપયોગ કરવા તૈયાર કરવામાં આવેલા શુદ્ધ એન્ટીબોર્ડીની જરુર હોય છે.